________________ 555 પ્રત્યક્ષ કારાગૃહ છતાં તેના ત્યાગને વિષે જીવ મુંબઈ, પોષ સુદ 10, રવિ, 1951 પ્રત્યક્ષ કારાગૃહ છતાં તેના ત્યાગને વિષે જીવ ઇચ્છે નહીં; અથવા અત્યાગરૂપ શિથિલતા ત્યાગી શકે નહીં, કે ત્યાગબુદ્ધિ છતાં ત્યાગતાં ત્યાગતાં કાળ વ્યય કરવાનું થાય, તે સૌ વિચાર જીવે કેવી રીતે દૂર કરવા ? અલ્પ કાળમાં તેમ કેવી રીતે બને ? તે વિષે તે પત્રમાં લખવાનું થાય તો કરશો. એ જ વિનંતી.