SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ 424 ‘પુનર્જન્મ છે - જરૂર છે. મુંબઈ, કારતક વદ 12, 1949 સમાગમ ઇચ્છવા યોગ્ય મુમુક્ષભાઈ કૃષ્ણદાસાદિ પ્રત્યે, ‘પુનર્જન્મ છે - જરૂર છે. એ માટે “હું” અનુભવથી હા કહેવામાં અચળ છું એ વાક્ય પૂર્વભવના કોઈ જોગનું સ્મરણ થતી વખતે સિદ્ધ થયેલું લખ્યું છે. જેને, પુનર્જન્માદિ ભાવ કર્યા છે, તે ‘પદાર્થને', કોઈ પ્રકારે જાણીને તે વાક્ય લખાયું છે. મુમુક્ષુ જીવના દર્શનની તથા સમાગમની નિરંતર ઇચ્છા રાખીએ છીએ. તાપમાં વિશ્રાંતિનું સ્થાન તેને જાણીએ છીએ. તથાપિ હાલ તો ઉદયાધીન જોગ વર્તે છે. અત્યારે આટલું જ લખી શકીએ છીએ. શ્રી સુભાગ્ય અત્ર સુખવૃત્તિમાં છે. પ્રણામ પ્રાપ્ત થાય.
SR No.330544
Book TitleVachanamrut 0424
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra
PublisherJaysinhbhai Devalali
Publication Year
Total Pages1
LanguageGujarati
ClassificationAudio_File & Shrimad_Rajchandra_Vachanamrut
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy