________________ 416 જે પ્રકારે અને કહેવામાં આવ્યું હતું મુંબઈ, આસો, 1948 જે પ્રકારે અત્રે કહેવામાં આવ્યું હતું, તે પ્રકારથી પણ સુગમ એવું ધ્યાનનું સ્વરૂપ અહીં લખ્યું છે. 1. નિર્મળ એવા કોઈ પદાર્થને વિષે દ્રષ્ટિનું સ્થાપન કરવાનો અભ્યાસ કરીને પ્રથમ તેને અચપળ સ્થિતિમાં આણવી. 2. એવું કેટલુંક અચપળપણું પ્રાપ્ત થયા પછી જમણા ચક્ષને વિષે સૂર્ય અને ડાબા ચક્ષને વિષે ચંદ્ર સ્થિત છે, એવી ભાવના કરવી. 3. એ ભાવના જ્યાં સુધી તે પદાર્થનાં આકારાદિનાં દર્શનને આપે નહીં ત્યાં સુધી સુદ્રઢ કરવી. તેવી સુદ્રઢતા થયા પછી ચંદ્રને જમણાં ચક્ષને વિષે અને સૂર્યને વામ ચક્ષને વિષે સ્થાપન કરવા. 5. એ ભાવના જ્યાં સુધી તે પદાર્થનાં આકારાદિ દર્શનને આપે નહીં ત્યાં સુધી સુદ્રઢ કરવી. આ જે દર્શન કહ્યું છે, તે ભાસ્યમાનદર્શન સમજવું. 6. એ બે પ્રકારની ઊલટસૂલટ ભાવના સિદ્ધ થયે ભૂકુટીના મધ્યભાગને વિષે તે બન્નેનું ચિંતન કરવું. 7. પ્રથમ તે ચિંતન દ્રષ્ટિ ઉઘાડી રાખી કરવું. ઘણા પ્રકારે તે ચિંતન દ્રઢ થવા પછી દ્રષ્ટિ બંધ રાખવી. તે પદાર્થના દર્શનની ભાવના કરવી. 9, તે ભાવનાથી દર્શન સુદ્રઢ થયા પછી તે બન્ને પદાર્થો અનુક્રમે હૃદયને વિષે એક અષ્ટદલકમળનું ચિંતન કરી સ્થાપિત કરવા. 10. હૃદયને વિષે એવું એક અષ્ટદલકમળ માનવામાં આવ્યું છે, તથાપિ તે વિમુખ મુખે રહ્યું છે, એમ માનવામાં આવ્યું છે, જેથી સન્મુખ મુખે તેને ચિંતવવું, અર્થાત સૂલટું ચિંતવવું. 11. તે અષ્ટદલકમળને વિષે પ્રથમ ચંદ્રના તેજને સ્થાપન કરવું. પછી સૂર્યના તેજને સ્થાપન કરવું, અને પછી અખંડ દિવ્યાકાર એવી અગ્નિની જ્યોતિનું સ્થાપન કરવું. 12. તે ભાવ દ્રઢ થયે પૂર્ણ છે જેનું જ્ઞાન, દર્શન અને આત્મચારિત્ર એવા શ્રી વીતરાગદેવ તેની પ્રતિમા મહાતેજોમય સ્વરૂપે તેને વિષે ચિંતવવી. 13. તે પરમ દિવ્ય પ્રતિમા નહીં બાળ, યુવા અને વૃદ્ધ એવા દિવ્યસ્વરૂપે ચિંતવવી. 14. સંપૂર્ણ જ્ઞાન, દર્શન ઉત્પન્ન થવાથી સ્વરૂપસમાધિને વિષે શ્રી વીતરાગદેવ અત્ર છે, એમ ભાવવું. 15. સ્વરૂપસમાધિને વિષે સ્થિત એવા તે વીતરાગ આત્માના સ્વરૂપમાં તદાકાર જ છે એમ ભાવવું.