SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ 111 તું સર્વ પ્રકારે તારાથી પ્રવર્તી - જીવન સમવૃત્તિએ - ગૃહવાસ પર્યતકાળ ઉચિતપણે મુંબઈ, ફાગણ, 1946 પરમ સત્ય છે. તે પરમ સત્ય છે. ત્રિકાળ એમ જ છે. પરમ સત્ય છે. વ્યવહારના પ્રસંગને સાવધાનપણે, મંદ ઉપયોગે, સમતાભાવે નિભાવ્યો આવજે. બીજા તારું કેમ માનતા નથી એવો પ્રશ્ન તારા અંતરમાં ન ઊગો. બીજા તારું માને છે એ ઘણું યોગ્ય છે, એવું સ્મરણ તને ન થાઓ. તું સર્વ પ્રકારે તારાથી પ્રવર્તે. જીવન-અજીવન પર સમવૃત્તિ હો. જીવન હો તો એ જ વૃત્તિએ પૂર્ણ હો. ગૃહવાસ જ્યાં સુધી સર્જિત હો ત્યાં સુધી વ્યવહાર પ્રસંગમાં પણ સત્ય તે સત્ય હો. ગૃહવાસમાં તેમાં જ લક્ષ હો. ગૃહવાસમાં પ્રસંગીઓને ઉચિત વૃત્તિ રાખતાં શીખવ, સઘળાં સમાન જ માન. ત્યાં સુધીનો તારો કાળ ઘણો જ ઉચિત જાઓ. અમુક વ્યવહાર-પ્રસંગનો કાળ. તે સિવાયનો તત્સંબંધી કાર્યકાળ. પૂર્વિત કર્મોદયકાળ. નિદ્રાકાળ. જો તારી સ્વતંત્રતા અને તારા ક્રમથી તારા ઉપજીવન - વ્યવહાર સંબંધી સંતોષિત હોય તો ઉચિત પ્રકારે તારે વ્યવહાર પ્રવર્તાવવો. તેની એથી બીજા ગમે તે કારણથી સંતોષિત વૃત્તિ ન રહેતી હોય તો તારે તેના કહ્યા પ્રમાણે પ્રવૃત્તિ કરી તે પ્રસંગ પૂરો કરવો, અર્થાત્ પ્રસંગની પૂર્ણાહુતિ સુધી એમ કરવામાં તારે વિષમ થવું નહીં.
SR No.330231
Book TitleVachanamrut 0111
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra
PublisherJaysinhbhai Devalali
Publication Year
Total Pages1
LanguageGujarati
ClassificationAudio_File & Shrimad_Rajchandra_Vachanamrut
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy