SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ છે (સરખાવો - આગમ = સર્વજ્ઞોએ જણાવેલો આચાર/ઉપદેશ, આચાર-શીલાંક પૃ.૧૫૩, ૧૬૯,તથા શૂબીંગ વો.મ. પૃ.૯૬) આમ. બ્રહ્મચર્ય વિભાગ ૧ માં અધ્યયનોમાં કયાંય મહાવીરનું નામ મળતું નથી કે સૂચિત થતું નથી. સમગ્ર દષ્ટિ બિંદુઓના સંબંધથી એમ કહી શકાય કે તત્કાલીન કેટલાક વિચાર પ્રવર્તકોમાં મહાવીર પણ એક હતા, અને તે વિચાર બ્રહ્મચર્ય-વિભાગ ૧માં કંઈક સંકલિત થયા છે. આ વિચારો નવા ન હતા, પણ તેની રજૂઆત નવી હતી. (અહીં એ પણ નોંધવા યોગ્ય છે કે સમગ્ર બ્રહ્મચર્ય શ્રુતસ્કંધમાં બુદ્ધિ શબ્દનો પ્રયોગ મળતો નથી !). તે સમયના પ્રવાહની સાથે સાથે બ્રહ્મચર્ય વિભાગ, ૧ ના વિચારોના આધારે ઉત્તરોત્તર વૃદ્ધિ પામતા ઇતર વિચારો પણ મહાવીરના નામે ચઢાવવામાં આવતા ગયા, જેથી તે વિચારોની પણ વિભાગ ૧ના વિચારો જેટલી જ પ્રાચીનતા, પ્રમાણભૂતતા અને મહત્ત્વ લાગ્યા કરે. આના કાંઈક સંકેત આપણને બ્રહ્મચર્યના વિભાગ ૨માં મળે છે. અહીં પ્રથમ જ્ઞાત (કુળના પુત્ર તરીકે વિમોક્ષ અધ્યયનમાં (૮.૮.૨૪૨, શ્લોક ૧૨) તથા ઉપધાનશ્રુતમાં (૯.૧.૨૬૩, શ્લોક ૧૪, બે વાર) મહાવીરનું નામ સૂચિત થયું છે. અહીંયાં તેમ જ અન્યત્ર પણ મહાવીર માટે બ્રાહ્મણ (૮.૧.૨૦૨, ૮.૨.૨૦૮, અને ઉપધાનશ્રતના દરેક ઉદેશના અંતે, ઉપરાંત સરખાવો - સૂત્રકૃતાંશ I.૯.૧; 1.૧૧.૧; ઉત્તરાધ્યયન ૨૮.૧૧) અને કોઈવાર શ્રમણ (દા.ત. ઉપધાનશ્રત ૯.૧. શ્લોક ૧) શબ્દનો પ્રયોગ કર્યો છે. બ્રાહ્મણ (બ્રહ્મને જાણનાર, ઉત્તરકાલીન વૈદિક કર્મકાંડ કે યજ્ઞયાગાદિક સાથે જોડાયેલી બ્રાહ્મણ વર્ણની કોઈ વ્યક્તિ નહીં !) અને શ્રમણ શબ્દ પર્યાયવાચી છે. ૨૩ આ વિચારો વ્યક્તિવિશેષના નામે ચઢતા ગયા તેમાં ભાવિ સાંપ્રદાયિકતાનાં મૂળ રહ્યાં છે એમ કહી શકાય. ૭ ૧.૮.૩ સત્ય - પરમ તત્ત્વ : જૈન આગમોમાં પાંચ મહાવ્રતોની પરિભાષામાં સત્ય નામનું વ્રત વિશેષ મૃષાવાદવિરમણના નામથી પરિચિત છે; સત્ય શબ્દથી તેનું વર્ણન ભાગ્યે જ કોઈ સ્થળે દૃષ્ટિગોચર થાય છે. આચાર-બ્રહ્મચર્ય શ્રુતસ્કંધમાં સત્ય શબ્દનો વિશેષણ તરીકે પ્રયોગ થયો છે (દા.ત. તે સનં, સવ્વાલી સો તિ ...તે સત્ય છે, સત્યવાદી શોક તરી ગયો છે; ૮.૭.૨૨૪ = ૮.૭.૨૨૮) ઉપરાંત - જ્યાં “ભાષા-સમિતિની ચર્ચા હોય ત્યાં અનેક વાર સત્યનો પ્રયોગ થયો છે. તેમ છતાં બ્રહ્મચર્યના વિભાગ ૧માં એક તત્ત્વ તરીકે થયેલો સત્ય શબ્દનો વિશિષ્ટ પ્રયોગ ભિન્ન તરી આવે છે; જેમકે સવAિ fધરું ધ્વરા (સત્ય - તત્ત્વમાં ધૃતિ કરો; સત્યતત્ત્વને વળગી રહો, ૩.૨.૧૧૭). અશ્વમેવ સપનાળણિ સબૂક્સ માણ ૩કિ મેરાવી મારે તરફ (સત્યને જ ઓળખ, સત્યના જ્ઞાન - આદેશથી ઉપસ્થિત મેધાથી મૃત્યુ તરી જાય છે. ૩.૩,૧૨૭), તથા ...ગાગોવરયા...તો હમણા,..અવંસિ વિવિfલુ...(...આત્મોપરત...લોકની ઉપેક્ષા કરતા...સત્યમાં સ્થિર રહ્યા,...૪.૪.૧૪૬. અહીં સત્ય = ઋત, જુઓ શીલાંક-આચાર પૃ.૧૩૦). સૂત્રકૃતાંગમાં પણ સન્ચે તત્વ હરેનકુવર્ણમં (ા.૨.૩.૧), આચાર ૫.૬.૧૬૮ (તમેવ સર્વે...) ક્ષેપક છે તેનું ઉપર વિવેચન કર્યું છે.* ઉપનિષદોમાં સત્ય તત્ત્વનું વર્ણન કાંઈ આ રીતનું છે :- તળ હ વા તિક્ષ્ણ બ્રહો નામ સમિતિ (છાંદોગ્ય ઉપનિષદ ૮.૫.૪), તણ ૩પનિષત્ – સત્યસ્થ સમિતિ, પ્રાણા વૈ સત્યે તેષામેષ સત્યમ્ (બૃહદારણ્યક ઉપનિષદ ૨.૧.૨૩ = મૈત્રાયણિ ઉપનિષદ ૬.૩૨ = શતપથ બ્રાહ્મણ ૧૪.૫.૧.૨૩; શતપથ બ્રાહ્મણ ૧૪.૫.૩.૧૧ = બૃહદારણ્યક ઉપનિષદ ૨.૩.૧૧). અહીંયાં “સત્યનું સત્ય” એટલે વ્યવહાર-અવસ્થાના સત્યથી પર એવું પરમાર્થ-અવસ્થાનું સત્ય; જેને શ્વેતાશ્વતર ઉપનિષદમાં (૬.૩) તત્ત્વનું પણ તત્ત્વ કહ્યું છે. ઉત્તરકાલીન વૈદિક સાહિત્યમાં સત્ય અને ઋe પર્યાયવાચી ગણાતા.૨૪ ૭ ૧.૮.૪. બ્રહ્મચર્ય અને બ્રહ્મવિદ : આચારના પહેલા શ્રુતસ્કંધનું નામ બ્રહ્મચર્ય પણ વૈદિક વિચારધારામાંથી ઊતરી આવ્યું છે. પ્રાચીન વૈદિક સાહિત્યમાં બ્રહ્મ યજ્ઞ કે ઉત્તમ તત્ત્વના અર્થમાં વપરાતો, અને ઉત્તરકાલીન સાહિત્યમાં બ્રહ્મચર્ય શબ્દ બ્રાહ્મણ-ક્ષત્રિયજુએ ૩૪મને તન્નર વસ્ત્ર અને ક્ષેત્ર સાથે સુgિ... માં પરબ્ધન સંપન્ન ૨૨ ] Cઝ૦ ૧૦ -૧૨ અને T- ૧૫-૩). [ સામીપ્ય : એપ્રિલ, '૯૫-જૂન, ૧૯૯૫
SR No.249691
Book TitleLuptpray Aadikalin Jain Tattvagyanna Gudh Sanketo
Original Sutra AuthorN/A
AuthorBansidhar Bhatt
PublisherBansidhar Bhatt
Publication Year
Total Pages49
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy