SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ -:: સમાધિમરણની ભાવના :: હે કુટુંબીજનો... હવે ગાત્રો શિથીલ થતા જાય છે. અંતિમ સમય નજીક ભાસે છે, શ્રી સીમંધરદાદાને ભેટવા જે પળને હું ઝંખતો હતો તે હવે નજીક આવી રહી છે. આ મૃત્યુ એ મારા માટે શ્રી દાદાએ મોકલેલ દૂત સમાન છે જે મને દાદાની પાસે લઈ જશે. તેથી તે મારો પરમ કલ્યાણમિત્ર છે. આ દેહરૂપ જેલમાંથી છોડાવી દાદા પાસે લઈ જવા માટે બીજા કોઈ સમર્થ નથી, તેથી મારા. આ પરમ હિતસ્વીનું શાંત ભાવે સ્વાગત કરજો. વ્યહમરનયની અપેક્ષાઓ સર્વ ફરજો યથાશક્તિ બજાવી લીધી છે અને બાકીની વ્યવસ્થા વીલ મુજબ કરશો. હવે હું આપ સૌની હસતા મોઢે રજા માગું છું. જન્મ પછી મૃત્યુ એ સહજ સ્વાભાવિક પ્રક્રિયા છે, પણ ઉત્કૃષ્ટ સમાધિપૂર્વક, પ્રભુમાં લીનતા અને આત્મા ઉપયોગ પૂર્વક દેહ છુટે એ જ મૃત્યુ સાર્થક છે, ભાવિના અનંત મરણનો નાશ કરનાર એ પંડિત મરણ છે. આવું મૃત્યુ પામવા આપ સર્વ મને પુરો સહકાર આપજો એજ વિનંતી છે. કર્મના ઉદયથી આપણો આ સર્વ સંજોગ બની આવ્યો છે. આપણો તે રણાનુબંધ હવે પૂરો થવામાં છે. આ દેહને ટકાવવા માટે હવે કોઈ જ, પુરુષાર્થ આહાર કે ઔષધરૂપે કરવો નથી. તે આર્તધ્યાન સ્વરૂપે હોઈ અંતિમ લક્ષને ચુકાવી દે છે. માટે હવે મને આહાર કે ઔષધ માટે કોઈ પુછશો નહીં. હું 24 કલાકનું સાગારીક અનશન, પંચ પરમેષ્ઠી ભગવંતો અને આત્મસાક્ષીએ સ્વીકાર છું. આ દેહ કાળ દરમ્યાન કે ભવાંતરમાં, આપ સૌની જાયે-અજાયે જે કંઈ આશાતના, વિરાધના, અવિનય, અભક્તિ, આદિ થયાં કે કોઈ રીતે આપને કોઈને દુભાવ્યા તે બદલ મ.વ. કાયાએ કરી મિચ્છામિ દુકડમ. તમો સર્વ મને ક્ષમા આપશો. હું પણ તમ સર્વને હૃદયપૂર્વક ક્ષમા. આપું છું. હવે હું મૌન ધારણ કરું છું. કોઈ શાતા પુછવા આવે તો તેમને મારા વંદન પાઠવશો અને સારું છે એમ જણાવશો તે વખતે મને બોલાવી મારા સમાધિમરણના પુરૂષાર્થમાં ખલેલ પાડશો નહીં. કોઈ ઢીલા પડશો નહી શ્રી નવકારનું મનમાં રટણ કરશો. વાતાવરણ શાંત પ્રશાંત રાખશો. બધા પાસેથી અંતિમ એક જ માંગણી છે કે આવું પરમ કલ્યાણકારી શ્રી જિનશાસન મળ્યું છે, પરમ કરણામૂર્તિ દેવ-ગુરૂ-ધર્મનો યોગ થયો છે તો પ્રમાદને છોડી સૌ આત્મકલ્યાણમાં ઉજમાળા થશો, અને આ મેનુષ્યભવવ સાર્થક કરશો. આ મનુષ્યભવમાં જ વીતરાગ, સર્વજ્ઞ, સર્વદર્શી શ્રી જિનેશ્વર ભગવંતે પ્રકાશેલ તત્વત્રયી અને રત્નત્રયીનું આલંબન, આશ્રમ ગ્રહણ કરી, એમના વચનના આલંબને સ્વ-પરનો વિવેકકરી, ત્યાગ-વૈરાગ્ય, વિરતિ ધારણ ફરી, આત્મશ્રેય સાધી શકાય છે. માટે આ અવસર ચુકશો નહીં. ચાલો ત્યારે સૌને છેલ્લા જયજિનેન્દ્ર. હવે પલંગ પરથી નીચે ઉતરી સંથારો કરી, હું અંતિમ આરાધનામાં લીન થાઉ છુ. પરમ મંગલ, પરમ ઉત્તમ, પરમ શરણ્ય સેવા શ્રી અરિહંત ભગવંત, શ્રી સિધ્ધ ભગવંત, શ્રી સાધુ ભગવંત અને કેવળી ભગવંતે પ્રર્વેલા ધર્મનું હૃદયપૂર્વક, સર્વ સમર્પણભાપૂર્વક, અત્યંત અહોભાવ પૂર્વક શરણુ સ્વીકારું છું. તથા અનાદિ મિથ્યાત્વને લીધે આ ભવ કે અતીત ભવોમાં કુદેવ-કુગુરૂ-કુધર્મમાં સની ભ્રાંતિને લીધે ધર્મના નામે, તેમજ દેહાત્મબુધ્ધિને આધીન થઈ, ચારે સંજ્ઞાઓને મારો સ્વભાવ માની, તથા પાંચે ઈદ્રિયો અને મનને માર સ્વરૂપ માની, તેના વિષયભૂત પદાર્થોમાં સુખની ભ્રાંતિથી, તેમને ઉત્સુકતાપૂર્વક, ઉલ્લાસ-પૂર્વક અને અનુમોદના પૂર્વક ભોગવતાં ભોગવતાં જે કંઈ છ જવા નિકાયની હિંસા કે અઢારે પાપ સ્થાનકનું સેવન જાણે-અજાયે કે રાચીમાચીને કર્યું હોય, કરાવ્યું હોય કે મનુમોઘું હોય, જે આર્ત-રૌદ્ર ધ્યાન સેવ્યાં હોય, કોઈ પણ સ્વરૂપમાં જિનાજ્ઞાની વિરાધના કરી-કરાવી કે અનુમોદી હોય તે સર્વ દુષ્કૃત્યોની આત્મસાક્ષીએ નિંદા કરૂં છું, દેવ-ગુરૂની સાક્ષીએ. સખ્ત ગહ કરૂં છું, તે સર્વપાપ ૉય છે, ત્યાગ કરવા યોગ્ય જ છે, એમ હૃદયપૂર્વક નિશ્ચય કરું છું. અને તે સર્વની ત્રિવિધે ત્યાગ કરૂં છું. આ પાપ પ્રવૃતિ દ્વારા જે જે જીવોના દ્રવ્ય-ભાવ પ્રાણોની વિરાધના થવાથી કે તેઓ જાવિતવ્ય રહિત થવાથી, તેમના સાથે જે જે વેરાનુબંધ બંધાયા હોય તે સર્વ બદલ તે જીવોની હૃદયપૂર્વક ક્ષમા માંગુ છું. તે સર્વે વેરાનુબંધ નાશ પામો, નિરંતર તેમની હિતચિંતારૂપ મૈત્રિભાવ હો, તેમના ગુણો અને સુખ પ્રત્યે અનાદિની અસુયા નાશ પામી ઉત્કૃષ્ટ અનુમોદના હો. તેમનાં દુખો પ્રત્યે દ્રવ્ય-ભાવ કરૂણા હો. તેમના દોષો પ્રત્યે મૈત્રિ અને
SR No.249677
Book TitleSamadhi Maranni Bhavna
Original Sutra AuthorN/A
Author
Publisher
Publication Year
Total Pages2
LanguageGujarati
ClassificationArticle
File Size243 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy