SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ નવ અંગે, ચંદનપૂજાના ક્રમ પ્રમાણે થોડું થોડું જળ ચઢાવવું તે પછી અભિષેક કરવોઅભિ કળશમાં પંચામૃત લઈ ભાવવું કે-“સવિ જીવ કરૂં શાસનરસી” એવી ઉદાત્ત, મંગળ, પરમોત્કૃષ્ટ ભાવકરૂણાના ળરૂપે બંધાયેલ તીર્થંકર નામકર્મના પ્રદેશોદયરૂપે દેવેન્દ્ર પોતાના સમકિતને નિર્મળ કરવા, અત્યંત બહુમાન અને ભક્તિપૂર્વક આપશ્રીના જન્મકલ્યાણકને ઉજવતાં મેરૂપર્વતના શિખર પર પંચામૃતનો જે અભિષેક કરે છે, તેના પ્રતીકરૂપે આ પંચામૃતથી હું અભિષેક કરૂં છું. આથી મારામાં ઉત્કૃષ્ટ જિનભક્તિ અને નિર્મળ સમકિત પ્રગટો” એવી ભાવના ભાવતાં “મેરૂ શિખર નવરાવે હો સુરપતિ, મેરૂ શિખર નવરાવે. જન્મકાળ જિનવરજીકો જાણી. પંચરૂપે હરિ આવે. હો સુરપતિ : મેરૂશિખર નવરા"આ કાળ બોલી મસ્તકથી શરૂ કરી અભિષેક કરવો. અભિષેકનો ક્રમ-મસ્તક, બે ખભા, બે બાવડ, છાતી, પેટ, બે કાંડ, બે સાથળ, બે ઢીંચણ, બે અંગુઠા, અંજલિ પછી પાણીનો કળશ લઈશાન કળશ ભરી આતમાં સમતારસ ભરપૂર શ્રી જિનને નવરાવતાં. કર્મ થયાં ચકચર” - આ દૂહો બોલતાં. “હું અસંગ શુદ્ધ ચેતન છું” એવા પરિણામરૂપ જળ દ્વારા, સમતારસના સ્વામી એવા શ્રી જિનને નવરાવતા. મારી અનાદિના મોહનીય કર્મો નાશ પામી રહ્યો છે એવી ભાવના મનમાં ભાવતાં ભાવતાં, શુદ્ધ જળથી પ્રભુજીને નવહણ કરવું. પછી ૩ અંગલૂછશો કરી રજી ચંદનપૂજા કરવી મુદ્દ- અંજલિ મુદ્દા કરી, ચંદનની વાટકી સહિતની થાળી અંજલિ પર રાખવી. નમોડતુસિધ્ધાચાર્યોપાધ્યાય સર્વ સાધુભ્યા હો- શીતલ ગુણ જેમાં રહ્યો. શીતલ પ્રભુ મુખ રંગ; આત્મ શીતલ કરવા ભણી. પૂજો અરિહા અંગ. મંત્ર- ૐ હ્રીં શ્રીં પરમેશ્વરાય પરમપુરૂષાય પરમાત્માને પરમેષ્ઠીને શ્રીમતે....જિનેન્દ્રાય વિષયકષાય તાપ શાંતયે. અનંતાનંત આત્મગુણ પ્રાપ્તયે, જન્મ-જરા-મૃત્યુ નિવારણાય ચંદન યજામહે સ્વા...હા. ભાવના - હે પરમ શાંત ઉપશમ રસના સ્વામી ! છ-છ મહિના લાગલગાટ ગરમ કરેલો લોખંડનો ગોળો, ઉત્તમકોટીના બાવના ચંદનના સંયોગમાં આવવાથી તત્કાલ શીતલ થઈ જાય છે, તેમ અનાદિકાળના મિથ્યાત્વના ઉદયને લીધે કુદેવ-કુગુરૂ-કુધર્મમાં સની ભાંતિને લીધે ધર્મના નામે. અને દેહાત્મબુદ્ધિના કારણે પર પદાર્થમાં અહ-મમત્વ અને સુખબુદ્ધિના કારણે, ત્રિવિધ તાપથી બળી રહેઓં એવો હું, આ ચંદનપૂજાના માધ્યમથી આપના શરણે.. સત્તામાં રહેલા મારા પરમ શાંત ઉપશમ સ્વરૂપને પ્રાપ્ત કરવા-પ્રગટકરવા આવ્યો છું. હે નાથ ! તે માટે જે કંઈ કરવાનું હોય તે મારી પાસે કરાવો. હું કંઈ જ જાણતો નથી, મને કંઈ જ આવડતું નથી. હું અબુધ અને અશક્ત છું. આપનો અનુગ્રહ એ જ મરૂ સર્વસ્વ છે. પછી ૩ નવકાર ગણી, પૂજા એવી રીતે કરવી કે પ્રભુના નવ અંગે બે વાર પૂજા થાય અને ત્રણ નવકારગણાય. તે ન ઘવે તો નવે અંગે “નમો. અરિહંતાણ', કે “નમો જિગાણ અિ ભયાણ' , મનમાં બોલતા પૂજા કરવી. ૩જી પુષ્પપૂજા મુદા- અર્ધ અંજલિ મુદ્દા રાખી તેના પર પુષ્પ તે સહિતની થાળી રાખવી. નમોહન સિધ્ધાચાર્યોપાધ્યાય સર્વ સાધુભ્ય: સુમ જંતુ ભવ્ય જ પરે, કરીએ સમકિત છાપ. મંત્ર- ૐ હ્રીં શ્રીં પરમેશ્વરાય, પરમ પુરૂષાય પરમાત્માને પરમેષ્ઠીને શ્રીમતે...જિનેન્દ્રય મિથ્યાત્વ દુર્ગધ નિવારણાય, પૌદ્ગલિક વાસના યાય, આત્મગુણ પ્રાપ્તયે પુષ્પાણિ યજામહે સ્વા...હા ! ભાવનાઃ જેમ વાતાવરણની દુર્ગધ પુખની સુગંધથી દૂર થાય છે, તેમ છે સોયિક સમકિતના સ્વામી ! આ પુષ્પોના માધ્યમ દ્વારા થતી આપની ગુણ પૂજા દ્વારા, અનાદિથી મારા આત્મામાં રહેલી મિથ્યાત્વરૂપ દુર્ગધ અને વિષયવિકારરૂપ વાસના દૂર થઈ, કાળક્રમે સાયિક સમકિત અને નિર્વિકાર દશા પ્રગટે એવી કરૂણા કરો. ચારે સંજ્ઞાઓ અને પાંચ ઇન્દ્રિયોની વાસના આ ભવમાં જ અત્યંત મંદ પડી, કાળક્રમે સર્વથા નાશ પામે એવી કરૂણા કરો. પછી એક નવકાર ગણી પુષ્પ ચઢાવવાં. ઓછામાં ઓછાં ૩ લ ચઢાવવા - બે અંગુઠે એકેક, ત્રીજું અજુલિમાં, જે આપણા સમર્પણ ભાવનું પ્રતીક છે. ૪ થી ધૂપ પૂજા: - મુદ્દા ઉભી અંજલિ મુદા બંને હાથની પહેલી આંગળી વચ્ચે ધૂપસળી રાખવી. સુરભિ અખંડ કુસુમ રહી, પૂજો ગત સંતાપ;
SR No.249673
Book TitleJin Pooja Vidhi Sankshiptama
Original Sutra AuthorN/A
AuthorAbhaysagar
PublisherAbhaysagar
Publication Year
Total Pages4
LanguageGujarati
ClassificationArticle, Ritual, & Vidhi
File Size539 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy