________________
ઉપરના લેખે. ]
( ૯ )
અવલોકન,
- ૨ તપાગચ્છની પાવળી. નં. ૧ર માં પહેલાં વર્ધમાન ( પદ્ય ૨ ) નું નામ આવે છે; પછી સુધમ ( પદ્ય ૩ ), સુસ્થિત અને સુપ્રતિબુદ્ધ, કોટિક ગણના સ્થાપનાર ( પદ્ય ૪ ) વજ, વજી શાખાનો સ્થાપનાર (પદ્ય ૫ ) વસેન અને તેના શિષ્ય નાગેન્દ્ર, ચન્દ્ર, નિવૃતિ અને વિદ્યાધર; એમાંના ત્રીજાએ ચાંદકુલ (પદ્ય ૬-૭ ) સ્થાપ્યું. જગચ્ચે જેણે સંવત ૧૨૮૫ માં “ તપાબિરૂદ (પદ્ય ૮ ) મેળવ્યું. ત્યારબાદ નિચે પ્રમાણે--
(૧) આનંદવિમલ ( કર્લોટ નં. ૫૬ ) જેણે સંવત્ ૧૫૮૨ ( પદ્ય ૧૦-૧૧) માં યતિઓની વર્તણુંક સુધારી,
( ૨ ) વિજયદાન ( કલૅટ નં. ૫૭ ) ( પા. ૧૨-૧૩).
( ૩ ) હીરવિજય ( કર્લૅટ નં. ૫૮ ) (પદ્ય ૧૪–૨૪,) જેમને સાહિ અકબરે મેવાતમાં બોલાવ્યા હતા, જેમણે સં. ૧૬૩૯ માં છ માસ સુધી, પ્રાણિવધ અટકાવવાને, મરેલા માણસની મિલ્કત જપ્ત નહિ કરવાને, જીજિઆ વેરે અને શુલ્ક છોડી દેવાને, કેદીઓને છુટા કરવાને લાધેલાં. પશુ પક્ષીઓને છૂટાં મૂકવાને, શત્રુંજય જૈનોના હસ્તગત કરવાને અને જૈન પુસ્તકાલય સ્થાપવાને (પૌતુર્દ માં રમ), બાદશાહ પાસેથી ફરમાન કઢાવ્યાં; જેમણે ૧ લુમ્પકના ગુરૂ મેઘજીને જૈન બનાવ્યો, જેમણે તપાગચ્છમાં ઘણું લેકને આધ્યા, ગુજરાત અને બીજા દેશોમાં ઘણાં દેવાલય બંધાવરાવ્યાં તથા ગુજરાત માળવા વિગેરેની ઘણું લેકને શત્રુજ્યની યાત્રા કરવાને કહ્યું. નં. ૧૧૮ ( આ સંગ્રહમાં ન. ૩૩ ) માં આવી એક યાત્રાનું વર્ણન આપે છે જે વિમલ તથા બીજા ૨૦૦ સાધુઓએ કરી હતી. વળી એજ લેખમાં કહ્યું છે કે હીરવિજય + સાફ ( Sapha ) જાતના
* જગચંદ્રસુરિ પછી તરત જ આનંદવિમલસરિ થયા એમ નથી, પરંતુ તેમની શિષ્ય પરંપરામાં કેટલાક આચાર્યો થયા પછી સોળમા સૈકાની અંતમાં આ આચાર્ય થયા હતા. બાકી જગચંદ્રસૂરિ તો તેરમા સૈકાની અંતે થયેલા છે, કે જે ઉપર લખવામાં આવ્યું છે જ–સંગ્રાહક.
* ૧૩. લુપકે વિષે જુઓ ભાડાકરને “રીપેટે ઓન સં. મેન્યુરક્રિીપ્ટસ” ૧૮૮૩-૮૪, પૃ. ૧૫૩. ' ' + મૂળ લેખમાં મુસ્વિતિસાધક્ષીરસાગર ગ્રાસિતતાવાનાં (ક્રિયાપાત્ર એવા સાધુ રૂ૫ સમુદ્રને ઉલ્લસિત કરવામાં ચંદ્ર જેવા) એવું હીરવિજયસૂરિનું વિશેષણ છે. એ
૪૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org