________________
પાટણના લેખે
(૫૦૬-પ૩૩) આ નંબરે નીચે આવેલા લેખો પાટણના જુદા જુદા મંદિરમાંથી મળી આવ્યા છે. તેમાં
નં. ૫૦૬ થી ૧૧૯ સુધીના લેખે, પાટણના મુખ્ય અને સુપ્રસિદ્ધ પંચાસરા પાર્શ્વનાથના મંદિરમાંના છે. આ બધા લેખો, આચાર્યો, સાધુઓ કે શ્રાવની મૂર્તિઓ ઉપર તેમજ ચરણપાદુકાઓ ઉપર છે. પંચાસરાના મંદિરમાં પિસતાં ડાબી બાજુએ એક ન્હાની સરખી ઓરડી છે અને તેમાં આચાર્યો વિગેરેની જ બધી મૂર્તિ સ્થાપિત કરેલી છે. મુખ્ય વેદિક ઉપર, આચાર્ય હીરવિજય સૂરિ, વિજયસેન સૂરિ અને વિજયદેવ સૂરિ એમ ત્રણે તપાગચ્છના પ્રભાવક આચાર્યોની એક સરખી અને એક જ આકારની મૂર્તિઓ બેસાડેલી છે. નં. ૧૧,૧૨ અને ૧૩ નંબરના લેખ એજ મૂર્તિઓ ઉપર-નીચે કેસ ઉપર-કેતરેલા છે. પાટણ નિવાસી પિોરવાડ જ્ઞાતિના ડોસી શંકરની ભાર્યા બાઈ વાલ્વીએ પિતાના પુત્ર પત્રના પરિવાર સાથે આ મૂર્તિએ કરાવી હતી.
બાકીના પણ બધા લેખ, એજ ઠેકાણેની જુદી જુદી મૂર્તિઓ ઉપર કોતરેલા છે. હકીક્ત સ્પષ્ટ રીતે સમજાય તેમ છે.
પ૨૦ ૨૧ અને ૨૩ નંબરના લેખો, અષ્ટાપદના મંદિરમાંના છે. જેમાં પર૦ નં. ને લેખ, એ મંદિરમાંના ભોંયરામાં આવેલી સુપાશ્વનાથની પ્રતિમા ઉપરથી લીધું છે. પ્રતિમાના પાછળના ભાગમાં પણ લેખ છેતરેલ હોવાથી આદિ અંતનો ભાગ વાંચી શકાતો નથી.
પ૨૧ નં. ને લેખ, એજ ભોંયરામાં એક આચાર્યની મૂર્તિ છે તેના ઉપર તરે છે,
૭૪૬ For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org