SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ તપ અને પરિષહ એ શું છે ? ૪૯ અપ હેત, અથવા હજી પણ અર્પતા હતા, તે વ્યાવહારિક ભૂમિકામાં ગમે તેટલું પછાતપણું હોવા છતાં આપણે ઉંચું માંગું કરી એમ કહી રક્ત કે અમે આટલું તે કર્યું છે, પણ એક બાજુ આધ્યાત્મિક શાંતિમાં જગત આપણું દેવાળું જુએ છે અને બીજી બાજુ આપણી સામાજિક અને રાષ્ટ્રીય નબળાઈએ તો આપણે પિતાને મોઢે જ કબૂલ કરીએ છીએ એટલે એકંદર રીતે એમ બન્યું છે કે આપણે તપ અને પરિષહોમાંથી પરિણામ મેળવવાની કૂંચી જ હાથ નથી કરી. તેથી આજે વિચાર ઉપસ્થિત થાય છે કે હવે શું એ વારસો જે હજારો વર્ષો થયાં મળ્યો છે અને જે કીંમતી લેખાય છે તે ફેંકી દે? અગર તો તે મારફત શું કરવું ? તેનાથી પરિણામ સાધવાની શી કુંચી છે? આ પ્રશ્નોના જવાબમાં જ પ્રસ્તુત ચર્ચા પુરી થઈ જાય છે. સમયે સમયે નવાં નવાં બળે પ્રગટે છે, અને ક્ષેત્રે ખુલ્લાં થાય છે. એક જ વસ્તુનો ભિન્નભિન્ન સમયમાં અને ભિન્નભિન્ન ક્ષેત્રમાં જુદા પિગ થઈ શકે છે, આજે ભારતવર્ષને સાચા તપ અને પરિષહની જરૂર ઉભી થઈ છે. આપણો સમાજ તપ અને પરિષહાથી ટેવાયેલ છે. જે એમની આધ્યાત્મિક આંખ એનાથી ન ઉઘડતી હોય તે પછી એનાથી વ્યાવહારિક આંખ તો ઉઘાડવી જ જોઈએ ! અને કપ કે પરિષહો દ્વારા કોઈ પણ વ્યાવહારિક પરિણામ લાવવું હોય મારે જે દૃષ્ટિ હોય તો તેનાથી આધ્યાત્મિક પરિણામ એ આવે જ છે ભગવાનનું તપ દ્વિમુખી છે. જે એને આચરનારમાં જીવનની કળા Rય તે તે મેટામાં મોટું વ્યાવહારિક પરિણામ આણવા ઉપરાંત રાધ્યાત્મિક પરિણામ પણ આણે જ છે. આની સાબીતી માટે પિીજી બસ છે, એમના તપે અને પરિષહાએ રાજકીય અને સામાજિક તમાં કેવાં કેવાં પરિણામ આણ્યાં છે, કેવી કેવી ચિરસ્થાયી ક્રાંતિઓ માવી છે અને લેકમાનસમાં કેટલે પલટ કર્યો છે ! તેમ છતાં તેમણે પોતાના આધ્યાત્મિક જીવનમાંથી કશું જ ગુમાવ્યું નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249641
Book TitleTap ane Parishaha e Shu Che
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Bechardas Doshi
PublisherZ_Paryushan_Parva_na_Vyakhyano_004696_HR.pdf
Publication Year
Total Pages14
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size654 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy