________________
૨૬૪].
શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા એકાવલી, મુક્તાવલી, કટીસૂત્ર, મુદ્રિકા, કેયૂર, કુંડલ, મુકુટ આદિ કેઈ પણ આભૂષણ પહેરતું નથી. તે ગંગા નદીની માટીથી અતિરિક્ત અગર, ચંદન, કુંકુમ આદિનું શરીર ઉપર વિલેપન કરતું નથી. તે પોતાને માટે બનાવેલે, લાવે, ખરીદેલે તથા અન્ય દૂષિત આહાર ગ્રહણ કરતા નથી. તે અપધ્યાન, પ્રમાદાચરિત, હિંસપ્રદાન અને પાપકર્મોપદેશરૂપ ચતુવિધ અનર્થદંડથી દૂર રહે છે. તે દિવસમાં માગધ આઢપ્રમાણ વહેતા એવા સ્વચ્છ જલને સારી રીતિએ ગાળીને ગ્રહણ કરે છે અને અર્ધ આઢકપ્રમાણ પીવા તથા હાથ-પગ વાને માટે બીજાએ આપેલા જલને ગ્રહણ કરે છે, કિન્તુ બન્ને રીતે સ્વયં જળાશયમાંથી લેતું નથી. તેમજ તે અંખડ અહઃ ભગવતે અને તેમના ચિત્યને મૂતિઓને) છોડીને અન્ય તીથિના દેવ અને અન્યતીર્થિક પરિગ્રહીત અહંન્દુ ને વંદન-નમસ્કાર કરતા નથી.
શ્રી ગૌતમ-ભગવદ્ ! અંબડ પરિવ્રાજક આયુષ્ય પૂરું કરીને અહીંથી ક્યી ગતિમાં જશે?
ભ૦ શ્રી મહાવીર-ગૌતમ! અંબડ નાના-મેટા શીલવ્રત, ગુણવ્રત, પૌષધોપવાસપૂર્વક આત્મચિંતન કરતે, ઘણા વર્ષો સુધી શ્રમણે પાસક વ્રતમાં રહીને, અને એક માસના અનશનપૂર્વક દેહનો ત્યાગ કરી બ્રહ્મદેવલોકમાં દેવપદ પ્રાપ્ત કરશે અને પ્રાને અબડને જીવ મહાવિદેહમાં મનુmજન્મ પામીને સિદ્ધિગતિને પ્રાપ્ત કરશે.
શ્રમણોપાસક અંબડ પરિવ્રાજકના વિષય પરત્વે શાસ્ત્રમાં જે કથન છે, તેને ભાવાર્થ નીચે પ્રમાણે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org