________________
૧૮૪].
શ્રી જી. અ. જૈન થમાળા તયા મૂળ કારણ “દશનામહને નિરાસ’ એ જ છે.
પ્ર-સમ્યકત્વને એવો શું પ્રભાવ છે કે તેને અભાવમાં ચાહે તેટલું વિશાળ જ્ઞાન હોય, તે પણ તે અસમ્યગજ્ઞાન યા મિથ્યાજ્ઞાન કહેવાય છે? અને ડું ને અસ્પષ્ટ જ્ઞાન હોય તે પણ સમ્યકત્વ પ્રગટ થયે છતે સમ્યગ જ્ઞાન કહેવાય છે?
ઉ.ભગવાન્ તત્ત્વાર્થસૂત્રકારે જણાવ્યું છે કે-“સવાય શ્રદ્ધાનં સભ્યપૂનમ !' યથાર્થરૂપથી પદાર્થોને નિશ્ચય કરવાની જે રૂચિ તે સમ્યગદર્શન છે.
જગતના પદાર્થોને યથાર્થરૂપથી જાણવાની રુચિ સાંસારિક અને આધ્યાત્મિક બન્ને પ્રકારના અભિલાષાથી થાય છે. ધન, પ્રતિષ્ઠા આદિ કેઈ સાંસારિક વાસના માટે જે તત્વજિજ્ઞાસા થાય છે તે સમ્યગદર્શન નથી, કેમકે એનું પરિણામ મોક્ષપ્રાપ્તિ ન હોવાથી એનાથી સંસાર જ વધે છે; પરન્તુ આધ્યાત્મિક વિકાસને માટે જે તત્વનિશ્ચયની ચિ ફક્ત આત્માની તૃપ્તિ માટે થાય છે તે સમ્યગદર્શન છે. તત્ત્વાર્થસૂત્ર એ અધ્યાત્મશાસ્ત્ર છે, એટલા માટે એમાં સમ્યજ્ઞાન કે અસમ્યગજ્ઞાનને વિવેક આધ્યાત્મિક દૃષ્ટિથી કરવામાં આવે છે, પણ ન્યાય યા પ્રમાણશાસ્ત્રની માફક વિષયની દૃષ્ટિથી કરવામાં આવતા નથી. ન્યાયશાસ્ત્રમાં જે જ્ઞાનને વિષય યથાર્થ હોય તે જ સમ્યજ્ઞાન પ્રમાણ અને જેને વિષય અયથાર્થ હોય તે જ અસમ્યગજ્ઞાન પ્રમાણુભાસ કહેવાય છે. પરંતુ આધ્યાત્મિક શાસ્ત્રમાં ન્યાયશાસ્ત્રને સંમત સમ્ય-અસમ્યગ્રજ્ઞાનને વિભાગ માન્ય હોવા છતાં પણ ગૌણ છે. અહિં આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org