SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૯૭ સાધ્યની દૃષ્ટિએ સાધક નયાવતાર [ આત્માના સંબંધમાં સાત ન નીચે ઇન્વર્ટેડ કોમામાં મૂકાયેલ ચૌદ બેલમાં ઉતારેલા, જે “તત્ત્વજ્ઞાન' નામક પુસ્તિકામાં વાંચવામાં આવેલ, જેનો આશય પરમ ગંભીર હેઈ, એક વિદ્વાન સદગૃહસ્થને આનો ટ્રકે ભાવાર્થ સમજાવવા જણાવેલ; તે ઉપરથી સાધકજનને ઉપયોગી ધારી અત્ર લેખાકારે આપવામાં આવે છે.] ૧. “એવંભૂતદષ્ટિથી ત્રાજુસૂત્ર સ્થિતિ કર.' જેવા પ્રકારે શુદ્ધ નિશ્ચયથી આત્માની એવભૂત શુદ્ધ સ્વરૂપસ્થિતિ છે, તે દષ્ટિ લક્ષમાં રાખી ત્રાસૂત્રપણે વર્તમાન પર્યાયમાં તથા પ્રકારે સ્થિતિ કર! એટલે કે–વર્તમાનમાં શુદ્ધ સ્વરૂપમાં વલ્ય. ૨. “જુસૂત્રદષ્ટિથી એવંભૂત સ્થિતિ કર." અને વર્તમાન પર્યાયની જુસૂત્રની દષ્ટિએ પણ જેવા પ્રકારે આત્માનું એવંભૂત શુદ્ધ નિશ્ચયસ્વરૂપ છે, તેવા પ્રકારે સ્થિતિ કર ! અથવા વર્તમાન વ્યવહારરૂપ આચરણની દૃષ્ટિએ પણ જેવું શુદ્ધ આત્મસ્વરૂપ છે તેવી સ્થિતિ કર! શુદ્ધ સ્વરૂપ થા! ૩. “નગમદષ્ટિથી એવંભૂત પ્રાપ્તિ કર.' નામદષ્ટિથી એટલે કે-જેવા પ્રકારે ચિત લક્ષણથી આત્મા લોકપ્રસિદ્ધ વ્યવહારથી વ્યવહારાય છે, તે દષ્ટિથી લક્ષમાં રાખી એવંભૂત શુદ્ધ ચૈતન્યસ્વરૂપે સ્થિતિ કર ! અથવા નૈગમ એટલે જેવા પ્રકારે વીતરાગભક્તિ, વૈરાગ્ય આદિ મેક્ષસાધક વ્યવહાર પ્રસિદ્ધ છે, તે દૃષ્ટિથી–તથારૂપ વ્યવહાર આચરણની દૃષ્ટિથી એવભૂત એટલે કે-જેવા પ્રકારે આત્મ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249611
Book TitleSadhyani Drushtie Sadhak Nayavatar
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherZ_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf
Publication Year
Total Pages4
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size551 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy