SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ પારમાર્થિક લેખસંગ્રહ [ ૩૨૧ પામીને, પ્રાણીને પિતામાં ગુણીપણું મનાવી અને બીજા ગુણીએમાં અવગુણીપણું મનાવી, તેઓની અવજ્ઞા અને પિતાના ઉત્કર્ષ દ્વારા અનંત કાળચક સુધી સંસારમાં રઝળાવે છે. સ્વરછ કે પરગચ્છમાં જે સંવિજ્ઞ એટલે તીવ્ર વૈરાગ્યવાન ભવભીરુ બહુશ્રુત ગીતાર્થ મુનિજને હેય, તેમને ગુણાનુરાગ કરવા મત્સર કે ગ૭ મમત્વભાવથી તું ચૂકીશ નહિ. ગુણાનુરાગીને “આ મારા ગુરૂ અને મારા ગચ્છના” એ વિચાર હેય નહિ. વેષ માન્ય છે. જ્યાં સુધી અવગુણે ન માલુમ પડે ત્યાં સુધી તેમને દૂરથી સામાન્ય રીતે નમન કરવા ગ્ય છે. પૂજા તે ગુણની જ છે અને અંતર-રાગ પણ તે પર જ હવે જોઈએ અને ગુરૂ થવા ગ્ય સાધુને તે આ મારા શ્રાવક છે એવી વૃત્તિ સ્વાર્થ સાધવાની બુદ્ધિએ ન જ હેવી જોઈએ. ગુણપૂજા છે તે યથાર્થ વિવેકમાર્ગ છે, પણ વ્યક્તિ પૂજા તે માર્ગ નથી-અથાર્થ વિવેક નથી. જ્યાં યથાર્થ ગુણ દેખાય ત્યાં આદર કરવા ચોગ્ય છે. અમુક જ વ્યક્તિને માનવી તે પક્ષપાત છે, એવું જૈન દર્શનમાં છે જ નહિ. જેનદર્શનમાં ગુણપૂજા છે પણ વ્યક્તિપૂજા છે નહિ. અમુક જ્ઞાન, ગુણ, પદ કે સ્થિતિને ધારણ કરનારા સાધુઓને વંદન અને નમન કરનારા, પિતે કપેલા જ્ઞાનાદિ ગુણેનું અંશે આરાધના કરવા છતાં, સાધુતાના બીજા ગુણેનું વિરાધન કરનારા થઈ જાય છે. | સર્વ ગુણેને આદર, એક ગુણને અનાદર કે અવજ્ઞા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249606
Book TitleParmarthasuchak Vastu Vichar Sangraha
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherZ_Parmarthik_Lekhsangraha_005006_HR.pdf
Publication Year
Total Pages80
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy