________________
૯૦ ]
શ્રી જી. એ. જૈન ગ્રન્થમાલા
નાની અપેક્ષાએ જૈને નૈગમનયની અપેક્ષાએ જૈન ધર્મને ઓઘ શ્રદ્ધાએ માનતે હોય તે જૈન કહેવાય. ગાડરીયા પ્રવાહે નવકાર ગણુતે હેય, પ્રભુની પૂજા કરતા હોય, દેવ-ગુરૂ-ધર્મની ભક્તિ કરવાને ભાવ હેય તેમજ તિથિએ નવકારસીનું પ્રત્યાખ્યાન કરતે હોય, તે તે જૈન કહેવાય છે. જૈનના ગુણ પિતાનામાં ન પ્રગટયા હોય છતાં ઉપચારથી તેને સ્થાપન કરતે હોય, તે નગમનયની અપેક્ષાએ જૈન કહેવાય છે. શ્રાવકના એકવશ ગુણે, સત્તર ગુણે અને બાર વ્રત વિગેરે પિતાનામાં ન હોય, તે પણ તેના અંશરૂપ પરિણામવડે તે તે ગુણેને પિતાનામાં ઉપચાર કરતે હોય અને વસ્તુતઃ તે તે ગુણે પિતાનામાં પ્રગટયા ન હોય, તે પણ નૈગમનયની અપેક્ષાએ જેન કહેવાય છે. સાધુના વ્રત અને સાધુના ગુણેમાં એકાંશ પરિણામે પ્રવૃત્તિ કરનાર દ્રવ્યસાધુને નગમનયની અપેક્ષાએ સાધુ કહેવામાં આવે છે. નૈગમનય એકાંશરૂપ વસ્તુને ધર્મ
તે વસ્તુના પરિણામને ઉત્પન્ન થયેલે જાણે સંપૂર્ણ વસ્તુ ઉત્પન્ન થઈ એમ માને છે. વસ્તુને એક અંશ પ્રગડ્યો હોય તે તે વસ્તુ ઉત્પન્ન થઈ એમ માનવું, એ નૈગમનયની માન્યતા છે. આખી દુનિયામાં જે જે મનુષ્ય જૈન થવાને પરિણામ ધારણ કરીને અંશ થકી પણ ધર્મમાં પ્રવૃત્તિ કરે છે, તે તે મનુષ્ય કુલ થકી જૈને છે. અંતરમાં મિથ્યાત્વી છતાં જેઓ જૈનધમની ઉપર ઉપરની ક્રિયાઓ કરે છે, તે સર્વે એળે ગણાતા નિગમનયની અપેક્ષાએ જેને છે. જૈનધર્મને એક અંશથી પરિણામ ધારણ કરીને એકાંતથી જૈનધર્મમાં પ્રવૃત્ત થનાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org