________________
પારમાર્થિક લેખસંગ્રહ
અનેકાન્તના ઉપગે વિશાલ દૃષ્ટિ
આત્માના શુદ્ધ ધર્મનું જ્યારે સ્મરણ કરવામાં આવે છે, ત્યારે બાહ્યાચારથી વધી પડેલા મતભેદથી મહત્ત્વ જણાતું નથી. સર્વ પ્રકારના મતભેદેવાની બુદ્ધિ જેનામાં ઉત્પન્ન થાય છે, એવા આત્માના ગુણોની શુદ્ધિ કરવામાં આવે તે પિતાના આત્માનું હિત સાધી શકાય છે. પિતાના આત્માની શુદ્ધિ કરવામાં અન્યમાં રહેલા મતભેદનું નડતર પિતાને થતું નથી. જેને પિતાના આત્માને શુદ્ધતારૂપ સાધ્યને સમ્યગ ઉપગ નથી, તેને એકેક નયથી ઉઠેલા એકાન્ત મતભેદની અસર થાય છે. જેમ સમુદ્રમાં શૃંગીમસ્યા રહે છે અને ખારા જલમાં વહેતી એવી મીઠી વેલનું પાણી પીવે છે, તેમ સમ્યગજ્ઞાની આત્મા આ સંસારમાં એકેક નયથી ઉઠેલા એવા અનેક પંથરૂપ ખારે સાગર છતાં અનેકાન્ત નયના વિચારરૂપ મીઠા જલનું પાન કરે છે. દ્રવ્યાનુચગવડે જ્યારે આત્માનું સમ્યક સ્વરૂપ વિચારવામાં આવે છે, ત્યારે અન્ય પશે અને અન્ય મતવાદીઓ પર મૈત્રીભાવના રહે છે અને મતસહિષ્ણુતા નામને ગુણ પ્રગટવાથી અન્ય ધર્મ પાળનારાઓ ઉપર પણ કારૂણ્યભાવના ખીલી ઉઠે છે. આત્મધર્મસાધક બંધુઓએ સમજવું જોઈએ કેઅમારે જન્મ જગતમાં ઉત્તમ કાર્યો કરવાને માટે થયો છે, માટે સર્વ અને પિતાના આત્મા સમાન માનીને પિતાના આત્માની પેઠે અને આત્માઓનું શ્રેય કરવા પ્રયત્ન કરવો જોઈએ. વીતરાગધર્મથી દૂર રહેલા મનુષ્યો પર કદિ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org