SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ જેનવિભાગ most important developed religions because of its advanced view of religious matter as well as of the methods." અર્થાત–છેવટે હું કહેવાને હિમત કરું છું કે ધાર્મિક બાબતો અને પદ્ધતિઓમાં તેના વિચારે આગળ પડતા હોવાથી જૈનધર્મ તુલનાત્મક ધર્મ-શાસ્ત્ર માટે વિકસિત ધર્મોમાં અત્યંત ઉપયેગી છે. આમ આજે અનેક વિદ્વાનોને પ્રયાસથી આ અજ્ઞાનનો નાશ થતો જાય છે. બૌદ્ધ સાહિત્યમાં જૈનધર્મના ઉલ્લેખ છે તેમજ ડો. હરે (Tuarer) મથુરામાં કરેલી શોધખેળના પરિણામે માલુમ પડ્યું છે કે મથુરા ક્રાઈસ્ટ પહેલાં પહેલી બીજી સદીમાં જૈન ધર્મનું કેન્દ્ર હતું જે ત્યાંથી કંકાલી ટીલામાંથી નીકળેલ મૂર્તિઓ અને તૂપના લેખેથી જણાય છે. શ્રી ઋષભદેવ-જૈન ધર્મના પ્રથમ તીર્થકરનું જીવન ને નામ ભાગવત પુરાણમાં આવે છે તેથી સાબીત થાય છે કે જૈન ધર્મના સ્થાપક શ્રી મહાવીર નહિ પણ શ્રી ઋષભદેવ હતા અને શ્રી મહાવીર, શ્રી પાર્શ્વનાથ ત્યાર પછીના સુધારક ગણાય છે. વિદ્વાનો પણ હવે ધીમે ધીમે આ માનવા લાગ્યા છે. જૈન ધર્મ વિષે હજી આજે પણ દુનિયાના ઘણાખરા ભાગમાં ભારે અજ્ઞાન છે એટલું જ નહીં પણ આ દેશમાં પણ તે માટે ગંભીર અજ્ઞાન ફેલાઈ રહ્યું છે જે લાલા લજપતરાયના ભારતવર્ષના ઇતિહાસમાં જૈન ધર્મ વિષેની ધથી-પંડિત શીવશંકર મિશ્નના ભારતના ધાર્મિક ઈતિહાસના જૈન ધર્મના ઉલ્લેખ ઉપરથી તથા–. શ્રમ (અમેરિકા કેલ્મબીયા યુની.) જે હમણું જ મુંબઈ અને લાહેરમાં ભાષણો આપી ગયા તેમણે જૈન ધર્મ વિષે બતાવેલ અજ્ઞાનથી સાબીત થાય છે. પાશ્ચાત્ય વિદ્વાનોમાં જૈન ધર્મ વિષેનું અજ્ઞાન દૂર કરવા માટે વિદ્વાન છે. યાકોબી જે વર્ષો થયાં જૈન સાહિત્યને ઉંડા અભ્યાસી છે તેમણે અથાગ પરિશ્રમ કર્યો છે અને ડે, બુલર તથા ડે. હનલે અત્યંત ઉત્સાહથી આ વિદ્વાનને મદદ કરી છે. આજે જે ઘણા ખેટા ખ્યાલ નાશ પામ્યા છે તે તેઓને આભારી છે. પાળા પ્રદેશોમાં જૈન ધર્મને જૈન ધર્મના પવિત્ર પુસ્તક-સૂત્રોના અભ્યાસની-સંશોધનની શરૂઆત કરનાર જર્મન . તે પર હતા. તેમજ જે ધર્મના અભ્યાસના પ્રથમ યારક કહેવાય છે. પહેલ વહેલા-સને ૧૮૭૬ માં પ્ર. વેબરે હિન્દી સાહિત્યનો ઈતિહાસ લખે તેમાં જૈન ચરિત્ર વિશે ટુંક નેધ તેમણે લખી હતી-તેમજ જૈન ધર્મનાં પવિત્ર પુકે વિશે ઉલ્લેખ કર્યો હતો અને જન સાહિત્યની અને તેમાં પણ વ્યાકરણ અને કોષનું જૈન સાહિત્યમાં શું મહત્વ છે તે તેઓશ્રીએ બતાવ્યું હતું. સને ૧૮૮૭ માં પ્ર. લીઓપેલ્ડ-ફોન-મૂહરે Literature and Culture of India માં માત્ર અર્ધા પાનામાં જૈન જાતિને ઉલ્લેખ કર્યો હતો સને ૧૯૦૦ માં છે. એ. મેકડોનલે સંસ્કૃત વાયના ઇતિહાસમાં નહિ જેવો ઉલ્લેખ કર્યો હતે. સને ૧૯૦૨ માં એ. બેમગાર્ટનરે તેના “Die-literaturen-Indiens und Pstasiens”માં ચાર પાનામાં જૈને અને તેના સાહિત્યને ઉલ્લેખ કર્યો હતે. સને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249582
Book TitlePaschatya Vidwano ne Jain Sahitya
Original Sutra AuthorN/A
AuthorFulchand H Shah
PublisherZ_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf
Publication Year
Total Pages9
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size757 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy