SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ જેનવિભાગ મહા કવિ શેભનાચાર્ય જેમ ધનપાલ અસાધારણ કવિ હતા તેમ તેના નાનાભાઈ ભનાચાર્ય પણ અસાધારણ કવિ હતા. તેઓશ્રી કૃત શોભનસ્તુતિ વિદ્યમાન છે. તે સ્તુતિ બહુ કઠણ છે. જે કદી તેની ટીકા થા ટીપણ ન હોય તે તેને અર્થ કરતાં વિદ્વાનેને લગાર વિચાર કરાવે તેવી છે. તેમાં તેમણે એક અદ્ભુત ખુબી કરી છે. દરેક ક્ષેકનું બીજું અને એથું પદ સમાન છે. છતાં અર્થમાં અસાધારણ નવીનતા છે આપણે તેને માટે ચેડા છુટા છુટા લોકે જોઈશું તે અસ્થાને નહિ કહેવાય. भव्यां भोजविबोधनैक तरणे विस्तारि कर्मावली रंभा सामज नाभिनंदन महा-नष्टा पदा भासुरै। भक्त्या वंदित पादपद्म विदुषां संपादय प्रोज्झिताम् रंभासामजनाभिनंदन महानष्टा पदा भासुरै ॥ અથ– ભવ્યાત્મારૂપી કમલેને વિકાસ પમાડવામાં સૂર્ય સમાન અને વિસ્તાર પામેલી કર્મની પંક્તિરૂપી કેળને માટે તે હસ્તિ સરખા ( હસ્તિને કેળ ભાગતાં જેટલી વાર લાગે તેટલી વારમાં કર્મના વિસ્તારને તેમણે હણ્યાં-હઠાવ્યાં છે ) અને મેટી નાશ પામી ગઈ છે આપત્તિ-દુઃખ જેને અને કાતિના સમૂહવડે કરીને શોભતા, દેવડે કરીને પુજાયેલા છે ચરણકમળ જેના, એવા અને પ્રકાશ રીતે તજ્યા છે સાવધ આરંભ (સાવધ એટલે પાપ સહિત આ અનુચિત પ્રાર્થના સાંભળી કવીશ્વર બેલ્યો કે શ્રેત્રીઓના હાથમાં રહેલો અને પવિત્ર જળથી ભરેલો પૂર્ણ કુંભ જેમ મદ્યના એક બિંદુથી અપવિત્ર થઈ જાય છે તેમ ઉપર્યુક્ત નામના પરિવર્તનથી સંપૂર્ણ કથાનું વિત્યે નષ્ટ થઈ જાય છે અને તેના પાતકથી કુલ, રાજ્ય અને રાષ્ટ્રનો નાશ થાય છે. માની રાજાએ આ ઉત્તર સાંભળી શુદ્ધ થઈ પાસે પડેલી ભડભડતી અંગારાની સગડીમાં મુખતાને વશ થઈ તે પુસ્તક બાળી નાખ્યું. રાજાના એ દુષ્ટ કૃત્યથી કવીશ્વર બહુ ખિન્ન થયો. પિતાને સ્થાને આવી નિશ્વાસ નાખતો એક જુના ખાટલામાં બેઠો. કવિને સાક્ષાત સરસ્વતી સરખી એક નવ વરસની તિલકમંજરી સુંદર બાળા હતી, તેણે પિતાને પિતાને કાર્યશન્ય, ખિન્નમનસ્ક જોઈ તેનું કારણ પુછયું. પુત્રીના અત્યાગ્રહને વશ થઈ કવિએ કથાના વિષયમાં બનેલ સમગ્ર વૃત્તાંત સંભળાવ્યો. સાંભળીને તે બાળા બેલી કે પિતાજી આપ ખેદ ન કરે. આપ સ્નાન પૂજન અને ભોજન કરી લ્યો અને તે કથા સંપૂર્ણ યાદ છે, તેથી હું આપને તે બધી ઉતરાવીશ. કવિ એ સાંભળી હર્ષિત થયો અને પિતાને નિત્ય નિયમ કરી પુત્રીના મુખકમળથી આખી કથા લખી; અને પિતાની પુત્રીનું નામ ચિરસ્મરણીય કરવાને માટે તેનું નામ તિલકમંજરી રાખ્યું. આ વૃતાંત સમ્યકત્વ સપ્તતિકામાં આપેલું છે. જે કે પ્રભાવચરિત્રમાં આ કથા થોડા ફેરફાર સાથે ઉપલબ્ધ છે પરંતુ લંબાણના ભયથી તેને હું સ્થાન આપવું ઉચિત ધારતું નથી (આત્માનંદ, પુ. ૧૭. અં. સાથ. પૃ. ૧૫૮, ૧૫૯.). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249573
Book TitleJain Kavio
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherZ_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf
Publication Year
Total Pages14
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy