SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનવિભાગ ઘણા વરસ આ ઉંખુ પાલી અંત સમય શુભ ભાવે મરી ઉતરાં એથે સુર લેકે, બે જણ સુર સુખ પાવે રે ૧૨ શત્રુંજય ઉપર અઢળક દ્રવ્ય વાપરી જેમ પિતાની દાનવીરતા દેખાડી છે તેમ તે વખતે કવિઓને ભાટચારણને યાચકોને અને ગરીબેને પુષ્કળ દ્રષ્યથી નવાજી પિતાની દાનવીરતા દેખાડવામાં તેણે કચાશ નથી રાખી. ૨ ખેમાદેરાણી. મહમદ બેગડાના સમયમાં એક ભયંકર દુષ્કાલ સમયે એક વર્ષ સુધી દેશને મફત અન્ન પુરૂં પાડી વાણીયાઓની “શાહ ” પદવી કાયમ રાખનાર હડાલાને પેમે શેઠ હતા. તેનો સંબંધ નીચે મુજબ છે. ગુજરાતમાં પવિત્ર પાવાગઢની તલેટીમાં ચાંપાનેર નગરમાં એક વખતે કેવી જાહેરજલાલી હતી તે ઈતિહાસવાચકેથી અજાણ્યું નહિ હોય. મહાન વીજયી મહમદબેગડો ગુજરાતમાં રાજ્ય કરતા હતા ત્યારે તેને માનીતો ઉમરાવ સાદુખાન ચાંપાનેરને સુબો હતે તથા તે જ વખતે ચાંપાનેરને નામીચ નગરશેઠ ચાંપશી મહેતે હતે. એક વખતે ચાંપાશી શેઠ સમસ્ત મહાજન સાથે રાજ દરબારમાં જાતે હતું ત્યારે સાદુલખાનનો રસ્તામાં ભેટ થયે અને પછી બન્ને સાથે સાથે રાજમહેલ તરફ ચાલવા લાગ્યા. તે વખતે બેલવામાં ચાલાક બંભા ભાટ બેઠે હતે. તેણે ઉભા થઇ સુબા સામે આવી પિતાના જાતિસ્વભાવ પ્રમાણે ઉમરાવનાં કેટલાક સામાન્ય વખાણ કર્યા અને પછી મહાજનની સન્મુખ ઉભા રહી હાથ જોડી તેમનાં પણ કેટલાંક બીરદ ગાયાં. તે મહાજનને ઉદેશીને બોલ્યો કે – બરદ કહે દકાલ દોહચ્છ, રાપે બંધ છોડણ સમરથ. રાયે થાપના ચારજરૂપ છાજીવદયા પ્રતિભૂપ. કરણિ કુબેર બરદ બહુધાર વડહથ જગડું અવતરિ ખંભે કહી કીરત અન્ય ઘણી તવ તે શ્રવણે ખાને સુણું આવી રીતે કરણીમાં કુબેર સરખા અને જગડુના અવતાર સરખા ઇત્યાદિ વિશેષણે આપ્યાં. સાદુલખાને આ વિશેષણે બાદશાહને કહી સંભળાવીને કાન ભંભેર્યા કે--જહાંપના આ ભીખારીની જાત તમારું ખાઈને વાણીયાને વખાણે છે. કાચા કાનના શાહે સહેજ પણ આડોઅવળો વિચાર કરવાની તસ્દી લીધા સિવાય જ બંભભાટને પકડી મંગાવવા હુકમ કર્યો, આથી સાદુલખાન ખુશી થયો. પરંતુ ચાંપશી શેઠને ચિંતા થઈ કે “ભૂંડી થઈ– પણ હશે જે થવાનું હતું તે થયું” થોડી વારમાં તો ત્યાં ભાટ આવ્યો તેને દેખી પાદશાહે પૂછયું કે–તો મારૂં અન્ન ખાઈ બકાલનાં છેટાં વખાણ કરો છો તે કેમ? બટાકલા નીડર ૧ કહેવાય છે કે તે ૧૭૦૦૦ ગુર્જરનો ધણી હતો. તેની પાસે ઉત્તમ સવા લાખ ઘડા, દશ હજાર હાથી, સીત્તેર ખાન અને બહેતર ઉમરાવની સાહ્યબી હતી. બીજા ઘણય રાવરાણુ તેની તાબેદારી ઉઠાવતા–તેના કદમમાં શીર ઝુકાવતા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249572
Book TitleJain Danviro
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherZ_Jain_Sahitya_Sambandhi_Lekhono_Sangraha_005198_HR.pdf
Publication Year
Total Pages11
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size835 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy