SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ અને પુનર્જન્મ (૨,૪૮). કર્મનો આરંભ ન કરવાથી મનુષ્ય નિષ્કર્મતા પામતો નથી અને કર્મનો ત્યાગમાત્ર કરવાથી તે સિદ્ધિ પામતો નથી (૩.૪). કર્મનો અનારંભ કે ત્યાગ નથી કરવાનો પણ આસક્તિનો ત્યાગ કરવાનો છે. તે આસક્તિનો ત્યાગ જે કરે છે તે નિષ્કર્મા અને સિદ્ધિ પામે છે. કર્મફળની આસક્તિ ત્યજી મનુષ્ય કર્મમાં પ્રવૃત્ત રહે તો પણ તે કંઈ કર્મ કરતો નથી (૪. ૨૦). જે દ્વેષ કરતો નથી કે કંઈ ઈચ્છતો નથી તેને સદા કર્મસંન્યાસી (કર્મચાગી) જાણવો (૫.૩). “કૃષ્ણ પોતાને વિશે કહે છે કે, “મને કર્મો લેપતાં નથી કારણ કે મને કર્મફળમાં સ્પૃહા નથી” (૪.૧૪)." વિવેકજ્ઞાનરૂપ અગ્નિ કર્મફળની સ્પૃહાને - આસક્તિને બાળી નાખે છે એટલે તેને કર્મને બાળીને ભસ્મ કરનાર ગણ્યો છે (૪.૩૭)." કર્મ કરવામાં જ મનુષ્યનો અધિકાર છે. અર્થાત, કર્મ કરવામાં મનુષ્ય સ્વતંત્ર છે. કેવું કર્મ કરવું અને તે કેવી રીતે કરવું તેમાં તે સ્વતંત્ર છે (૨.૪૭). પરંતુ ફળની બાબતમાં તેનો અધિકાર નથી અર્થાત્ તે પરતંત્ર છે. કર્મ કર્યું એટલે તેનું મુકરર ફળ મળવાનું જ, એ ભોગવ્યે જ છૂટકો, એમાં તમારું કંઈ ન ચાલે (૨.૪૭). કર્મ કરતી વખતે કર્મના ફળને જ નજરમાં રાખી કર્મ ન કરવું જોઈએ પણ ફળની કામના – તેની સફળતા-નિષ્ફળતાનો વિચાર – કર્યા વિના કર્મને જ કુશળતાથી કરવું જોઈએ (૨.૪૭).તદ્દન કર્મ ન કરવામાં – આળસમાં સંગ ન રાખવો જોઈએ. કર્મ પણ નથી કરવું અને ફળ પણ નથી જોઈતું એમ વિચારી આળસમાં અકર્મણ્ય થઈ રહેવું તેના જેવું ભૂં બીજુ કંઈ નથી (૨.૪૭)." તારે ફળ ન જોઈતું હોય તો પણ કર્મ કર. પરાર્થે કર્મ કર, લોકસંગ્રહ માટે કર્મ કર (૩.૧૩, ૩.૨૦)." ત્યાં પણ ફળની આસક્તિ ન રાખવી જોઈએ. | ગીતાએ કર્મોના ત્રણ વિભાગ પાડ્યા છે - કર્મ, અકર્મ અને વિકર્મ (૪.૧૭). કર્મ એટલે ફળની ઇચ્છાથી કરવામાં આવતું સત્કર્મ. અકર્મ એટલે ફળની ઇચ્છા વિના કરવામાં આવતું સત્કર્મ. ફળની ઈચ્છાથી રાગદ્વેષપૂર્વક કરવામાં આવતું દુષ્ટ કર્મ વિકર્મ છે. કર્મ એ પુણ્યકર્મ છે, વિકર્મ એ પાપકર્મ છે અને અકર્મ એ પુણ્યકર્મ પણ નથી કે પાપકર્મ પણ નથી. અકર્મમાં ક્રિયા (કર્મ) કરવામાં આવતી હોવા છતાં ર્તાપણાનું અભિમાન, રાગદ્વેષ, કલાસક્તિ ન હોવાથી તે અકર્મ બની જાય છે. તેથી અકર્મ બંધનકારક નથી. કર્મ અને વિકર્મ બન્ને અનુક્રમે સોનાની બેડી અને લોખંડની બેડી સમ છે, બન્ને બંધનકારક છે. કર્મનો નિયમ બીજા કોઈના હસ્તક્ષેપ વિના સ્વાભાવિક્મણે જ કાર્ય કરે છે. ઈશ્વર પણ તેમાં કોઈ હસ્તક્ષેપ કરતો નથી. ઈશ્વર કોઈની પાસે બળજબરીથી કર્મ કરાવતો નથી, તે કમોને ઉત્પન્ન કરતો નથી, તે કર્મને ફળ સાથે જોડતો નથી કે તે કર્મફળને કર્મ કરનાર સાથે જોડતો નથી. વળી, ઈશ્વર કોઈનું પાપ કે પુણ્ય લેતો નથી. અજ્ઞાનપ્રસૂત મોહને કારણે લોકો તેને તેવો માને છે. (૫.૧૪-૧૫).૧૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249536
Book TitleKarm ane Punarjanma
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherZ_Bharatiya_Tattva_gyan_001201.pdf
Publication Year1998
Total Pages28
LanguageGujarati
ClassificationArticle & Philosophy
File Size605 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy