________________
પર્યુષણ અને સંવત્સરી જૈન તહેવારને ઉદેશ
જૈન તહેવારે સૌથી જુદા પડે છે અને તે જુદાઈ એ છે કે જેને એક પણ નાને કે મેં તહેવાર એવો નથી કે જે અર્થ અને કામની ભાવનામાંથી અથવા તે ભય, લાલચ અને વિસ્મયની ભાવનામાંથી ઉત્પન્ન થયો હોય. અગર તે તેમાં પાછળથી સેળભેળ થયેલી એવી ભાવનાનું શાસ્ત્રથી સમર્થન કરવામાં આવતું હોય. નિમિત્ત તીર્થકરના કેઈ પણ કલ્યાણકનું હેય અગર બીજું કાંઈ હોય, પણ એ નિમિત્તે ચાલતા પર્વને તહેવારને ઉદ્દેશ માત્ર જ્ઞાન અને ચારિત્રની શુદ્ધિ તેમ જ પુષ્ટિ કરવાનું જ રાખવામાં આવે છે. એક દિવસના કે એકથી વધારે દિવસને લાંબા, એ બને તહેવારે પાછળ જૈન પરંપરામાં માત્ર એ એક જ ઉદ્દેશ રાખવામાં આવ્યું છે. પર્યુષણ પર્વ: મણ અષ્ટાદ્ધિક
લાંબા તહેવારમાં ખાસ છ અઠ્ઠાઈઓ આવે છે. તેમાં પણ પર્યુષણની અઠ્ઠાઈ એ સૌથી શ્રેષ્ઠ ગણાય છે, તેનું મુખ્ય કારણ તેમાં સાંવત્સરિક પર્વ આવે છે એ છે. આ આઠે દિવસ કે જેમ બને તેમ ધંધા ઓછો કરવાને, ત્યાગ-તપ વધારવા, જ્ઞાન, ઉદારતા આદિ સગુણ પિષવાન અને ઐહિક, પારલૌકિક કલ્યાણ થાય એવાં જ કામ કરવાનો પ્રયત્ન કરે છે. જ્યાં ને ત્યાં જૈન પરંપરામાં એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org