SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ જૈનધર્મને પ્રાણ એમનું કૃત્ય શું એમ જ નિષ્ફળ જવાનું? આવી બધી વાતને ધ્યાનમાં લેતાં એમ માન્યા વગર સતેજ નથી થતો કે ચેતન એક સ્વતંત્ર તત્વ છે, અને એ જાણતા-અજાણતાં જે કંઈ સારું-ખોટું કર્મ કરે છે, એનું ફળ એને ભેગવવું જ પડે છે, અને એટલા માટે એને પુનર્જન્મના ચક્રાવામાં ફરવું પડે છે. બુદ્ધ ભગવાને પણ પુનર્જન્મ માનેલ છે. પાકા નિરીશ્વરવાદી જર્મન પંડિત નિશે કર્મચકે પ્રવર્તાવેલ પુનર્જન્મને માને છે. પુનર્જન્મને આ સ્વીકાર આત્માના સ્વતંત્ર અસ્તિત્વને માનવાને પ્રબળ પુરાવો છે. કમતત્વ અંગે જૈન દર્શનની વિશેષતા જૈન દર્શનમાં દરેક કર્મની બધ્યમાન, સત અને ઉદયમાન એ ત્રણ અવસ્થાએ માની છે. એને અનુક્રમે બંધ, સત્તા અને ઉદય કહે છે. જેનેતર દર્શનોમાં પણ કર્મની આ અવસ્થાઓનું વર્ણન છે. એમાં બધ્યમાન” કર્મને “ક્રિયમાણ”, “સત’ કમને “સંચિત” અને ઉદયમાનને “પ્રારબ્ધ' કહે છે. પણ જૈન શાસ્ત્રોમાં જ્ઞાનાવરણીય વગેરે કર્મના ૮ મૂળભેદે તથ ૧૪૮ પ્રભેદનું વર્ગીકરણ કર્યું છે. અને એ દ્વારા સંસારી આત્માની અનુભવસિદ્ધ ભિન્નભિન્ન અવસ્થાઓને જેવો ખુલાસો કરવામાં આવ્યો છે તેવો કોઈ પણ જૈનેતર દર્શનમાં નથી. પાતંજલ દર્શનમાં કર્મના “જાતિ', “આયુ” અને ભેગ” એવા ત્રણ પ્રકારના વિપાક દર્શાવ્યા છે, પરંતુ જૈન દર્શનમાં કરવામાં આવેલ કર્મ સંબંધી વિચારણાની આગળ એ વર્ણન નામનું જ લાગે છે. | આત્માની સાથે કમને બંધ કેવો થાય છે? એનાં કારણે શાં શાં છે? કયા કારણે કર્મમાં કેવી શક્તિ પેદા થઈ જાય છે? વધુમાં વધુ અને ઓછામાં ઓછા કેટલા વખત સુધી કમ આત્માને વળગી રહે છે? આત્માને લાગેલું એવું પણ કમ કેટલા વખત સુધી વિપાક -ફળ આપવામાં અસમર્થ છે? વિપાકના નિશ્ચિત સમયમાં પણ ફેરફાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249517
Book TitleKarmtattva
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Jaindharma_no_Pran_002157.pdf
Publication Year1962
Total Pages22
LanguageGujarati
ClassificationArticle & Karma
File Size480 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy