________________
જૈન તત્ત્વજ્ઞાન
9
માત્ર આવિર્ભાવ પામે છે, પણ તદ્દન નવી ઉત્પન્ન નથી થતી; જ્યારે ખાદ્ય વિશ્વમાં ઘણી વસ્તુઓ એવી પણ છે કે જે પેાતાનાં જડ કારણામાંથી ઉત્પન્ન થાય છે, પણ પોતાની ઉત્પત્તિમાં કાઈ પુરુષના પ્રયત્નની અપેક્ષા રાખે છે. જે વસ્તુઓ પુરુષના પ્રયત્નની મદદથી જન્મ લે છે તે વસ્તુ પોતાનાં જડ કારામાં તલમાં તેલની પેઠે પેલી નથી હેાતી, ધ્યુ તે તે તદ્દન નવી જ ઉત્પન્ન થાય છે. જેમ કાઈ સુતાર જુદા જુદા લાકડાના કટકા એકા કરી તે ઉપરથી એક ધાડે! અનાવે ત્યારે તે ધોડા લાકડાના કટકાઓમાં છૂપા નથી હાતા, જેમ કે તલમાં તેલ હોય છે, પણુ ઘેડા બતાવનાર સુતારની બુદ્ધિમાં કલ્પનારૂપે હાય છે અને તે લાકડાના કટકા દ્વારા મૂર્તરૂપ ધારણ કરે છે. જો સુતાર ધારત તે એ જ લાકડાના કટકામાંથી ઘેાડા ન બનાવતાં ગાય, ગાડી ૬ બીજી તેવી વસ્તુ બનાવી શકત. તલમાંથી તેલ કાઢવાની બાબત આથી તદ્દન જુદી છે. કાઈ ગમે તેટલા વિચાર કરે કે ઈચ્છે છતાં તે તલમાંથી ઘી કે માખણ તે ન જ કાઢી શકે. આ રીતે પ્રસ્તુત ચોથા વિચારપ્રવાહ પરમાણુવાદી છતાં એક બાજુ પરિણામ અને આવિર્ભાવ માનવાની બાબતમાં પ્રકૃતિવાદી વિચારપ્રવાહની સાથે મળતા હતા, અને બીજી બાજુ કાર્ય તેમ જ ઉત્પત્તિની બાબતમાં પરમાણુવાદી જા વિચારપ્રવાહને મળતા હતા.
આ તે! ખાદ્ય વિશ્વની બાબતમાં ચેાથા વિચારપ્રવાહની માન્યતા થઈ, પણ આત્મતત્ત્વની બાબતમાં તે એની માન્યતા ઉપરના ત્રણે વિચારપ્રવાહા કરતાં જુદી જ હતી. તે માનતા કે દેહભેદે આત્મા ભિન્ન છે, પર ંતુ એ બધા જ આત્માઓ દેશદષ્ટિએ વ્યાપક નથી તેમ જ માત્ર ફૂટસ્થ પણુ નથી. એ એમ માનતા કે જેમ ખાધુ વિશ્વ પરિવર્તનશીલ છે. તેમ આત્મા પણ પરિણામી હાઈ સતત પરિવતનશીલ છે. આત્મતત્ત્વ સ કાચ-વિસ્તારશીલ પણુ છે અને તેથી તે દેહપ્રમાણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org