________________
૧પ૨
જિનતત્ત્વ માટેની યોગ્યતાનાં ધોરણો બહુ ઊંચાં અને કડક રાખવામાં આવ્યાં છે. અલબત્ત, દેશકાળ અનુસાર એમાં ન્યૂનાધિકતા જોવા મળે છે, તો પણ આદર્શ તો ઊંચામાં ઊંચો હોવો ઘટે છે. એટલે જ શ્રી પદ્મવિજય મહારાજે કહ્યું છે કે,
શુદ્ધ પ્રરૂપક ગુણ થકી જે જિણવર સમ ભાખ્યા રે.” આચાર્ય' શબ્દની વ્યાખ્યા વિવિધ રીતે આપવામાં આવી છે અને આચાર્યનાં લક્ષણો પણ જુદી જુદી રીતે દર્શાવવામાં આવ્યાં છે. નવાંગી ટીકાકારશ્રી અભયદેવસૂરિએ આચાર્યનાં લક્ષણો માટે પૂર્વાચાર્યનું નીચે પ્રમાણે અવતરણ ટાંક્યું છે :
पंचविहं आचारं आयरमाणा तहा प्रभासंता ।
आयारं दंसंता आयरिया तेण बुच्चंति ।। આચાર્ય પંચવિધ આચારને આચરનારા તથા તેને પ્રકાશનારા તથા તે આચારોને દર્શાવનારા (ઉપદેશ આપનારા) હોવાથી તેઓ આચાર્ય કહેવાય છે.
“આચાર્ય' શબ્દની વ્યાખ્યા નીચે પ્રમાણે પણ કરવામાં આવે છે : आ मर्यादया चरन्तीति आचार्याः । જેઓ મર્યાદાપૂર્વક વિચારે છે તે આચાર્ય.
आचारेण वा चरन्तीति आचार्या: । જેઓ આચારના નિયમાનુસાર વિચરે છે તે આચાર્ય.
पंचस्वाचारेषु ये वर्तन्ते परांश्च वर्तयन्ति ते आचार्याः ।
પંચાચારનું જેઓ પોતે પાલન કરે છે અને બીજા પાસે કરાવે છે તે આચાર્ય.
आचारा: यत्र रूचिरा: आगमा शिवसंगमाः ।
आयोपाया गतापाया आचार्य तं विदुर्बुधाः ।। જ્યાં આચાર સુંદર છે, આગમો શિવ (મોક્ષ)નો સંગ કરાવી આપનાર છે, આય (લાભ)ના ઉપાયો છે અને અપાયો (નુકસાન) ચાલ્યાં ગયાં છે તેમને પંડિતો “આચાર્ય' કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org