________________
૧૬૮
જિનતત્વ દઈ આચાર્ય બનેલા પોતાના ચેલાને વંદન કરે છે. એમાં વ્યક્તિ નહીં પણ પદનો મહિમા છે. ગુરુ મહારાજ પોતાના શિષ્યને વિધિપૂર્વક વંદન કરે એવી જિનશાસનની પ્રણાલિકા અજોડ છે. અન્ય કોઈ ધર્મમાં આવી પ્રણાલિકા નથી. આથી જ શ્રી રત્નશેખરસૂરિએ કહ્યું છે :
जे माय तायबांधवपमुहेहिंतोऽवि इत्थ जीवाणं ।
साहति हिअं कज्जं ते आयरिये नमसामि ।। [ જે જીવોનું માતા, પિતા તથા વગેરેથી અધિક હિતકાર્ય કરે છે તે આચાર્યોને હું નમસ્કાર કરું છું. !
ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ આચાર્યપદની પૂજામાં અંતે આ જ ભાવના ભાવી છે તે આપણે ભાવવી જોઈએ :
ન તે સુઈ દેઈ પિયા ન માયા, જે દિતિ જીવાણ સૂરીસ – પાયા; તમહા હુ તે ચેવ સયા ભજેહ,
જે મુમ્બ સુખ લહુ લોહ. આચાર્ય ભગવંતના ચરણમાં જે સુખ મળે છે તેવું સુખ તો માતાપિતા પણ આપી શકતાં નથી. એટલે તે ચરણની હંમેશાં સેવા કરો, જેથી મોક્ષસુખ જલદી મળે.
શ્રી ભદ્રબાહુસ્વામીએ શ્રી આવશ્યક સૂત્રમાં અંતર્ગત “નમસ્કાર નિયુક્તિમાં આવા આચાર્ય ભગવંતને નમસ્કાર કરવાનો મહિમા દર્શાવતાં લખ્યું છે :
आयरियनमुक्कारो जीवं मोएइ भवसहस्साओ ।
भावेण कीरमाणो होइ पुणो बोहिलाभाए ।। [ આચાર્યને કરેલો નમસ્કાર જો તે ભાવથી કરવામાં આવ્યો હોય તો તે હજારો ભવથી છોડાવે છે અને તે નમસ્કાર વળી અંતે બોધિલાભ -- સમ્યકત્વને આપનારો થાય છે. ]
आयरियनमक्कारो घन्नाण भवनयं कृणंताणं ।
हिअयं अणुम्मुयंतो विसुन्तियावारओ होइ ।। [ ભવનો ક્ષય કરવા ઈચ્છતા જે ધન્ય માણસો પોતાના હૃદયમાં આચાર્યને નમસ્કાર કરવાનું છોડતા નથી તેમના દુર્ગાનનું નિવારણ તે અવશ્ય કરે જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org