________________
૧પ૯
નિત્યસમ પૂરી – આચાર્યપદનો આદર્શ
વર છત્તીસ ગુણે કરી સોહે, યુગપ્રધાન જન મોહે;
જગ બોહે ન રહે ખિણ કોહે, સૂરિ નમું તે જોહે રે. આમાં પ્રતિરૂપાદિ ચૌદ ગુણ આ પ્રમાણે છે : (૧) પ્રતિરૂપ (અસાધારણ વ્યક્તિત્વ), (૨) તેજસ્વી, (૩) યુગપ્રધાનાગમ, (૪) મધુરવાક્ય, (૫) ગંભીર, () બૈર્યવાન, (૩) ઉપદેશતત્પર, (૮) અપરિશ્રાવી-સાંભળેલું નહીં ભૂલનાર, (૯) સૌમ્ય, (૧૦) સંગ્રહશીલ, (૧૧) અભિગ્રહમતિવાળા, (૧૨) અવિકથાકર, (૧૩) અચપળ અને (૧૪) પ્રશાન્ત હૃદયવાળા.
ક્ષમાદિ દસ ધર્મ આ પ્રમાણે છે : (૧) ક્ષમા, (૨) માર્દવ, (૩) આર્જવ, (૪) શૌચ, (૫) સત્ય, (૬) સંયમ, (૭) તપ, (૮) ત્યાગ, (૯) અકિંચનત્વ, (૧૦) બ્રહ્મચર્ય.
બાર ભાવના આ પ્રમાણે છે : (૧) અનિત્ય, (૨) અશરણ, (૩) સંસાર, (૪) એકત્વ, (૫) અન્યત્વ, (૬) અશુચિ, (૭) આશ્રવ, (૮) સંવર, (૯) નિર્જરા, (૧૦) લોકસ્વરૂપ, (૧૧) બોધિદુર્લભ, (૧૨) ધર્મભાવના. નવપદની ઓળીની આરાધનામાં ત્રીજે દિવસે આચાર્યપદની આરાધના કરવાની હોય છે. આચાર્યનો રંગ પીળો હોવાથી જે કેટલાક એક ધાનની વાનગી વાપરે છે તેઓ તે દિવસે પીળા રંગના ધાન-ચણા વગેરેનું આયંબિલ કરે છે.
આચાર્ય ભગવંતના આ પ્રતિરૂપાદિ ૩૬ ગુણમાંથી તેમનો એક એક ગુણ યાદ કરતાં જઈ નીચેનો દુહો ૩૬ વાર બોલતા જઈ ૩૬ વાર ખમાસમણાં દેવામાં આવે છે.
ધ્યાતા આચારજ ભલા, મહામંત્ર શુભ ધ્યાની રે;
પંચ પ્રસ્થાને આતમા, આચારજ હોય પ્રાણી રે. ‘દશાશ્રુતસ્કંધ'માં અને અન્ય ગ્રંથોમાં આચાર્યના ૩૬ ગુણોમાં આઠ પ્રકારની સંપદા અને તે પ્રત્યેકના ચાર ચાર ભેદ એમ ૩ર ગણ તથા ચાર પ્રકારનો વિનય એમ મળીને ૩૬ ગુણ બતાવવામાં આવ્યા છે. એમાં આચાર્ય મહારાજનું વ્યક્તિત્વ કેવું હોવું જોઈએ તેનો સરસ સવિગત પરિચય મળી રહે છે. “દશાશ્રુતસ્કંધ'માં લખ્યું છે :
अट्ठविहा गणिसंपया पण्णत्ता, तं जहा --
(૨) ચારસંvયા, (૨) સુસંપ, (૩) સરીરસંપા, (૪) વય સંપા, (૫) વાયorશ્ચંપા, (૬) મપયા, (૭) પગાસંવા (૮) સંહિપન્નસંવથી.
ગણિસંપદા અથવા આચાર્યસંપદા આઠ પ્રકારની છે : (૧) આચારસંપદા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org