________________
સિદ્ધ પરમાત્માં
णवि अत्थि मणुस्साणं तं सोक्खं ण वि य सव्वदेवाणं । सिद्धाणं सोक्खं अव्वावाहं उवगयाणं । जं देवाणं सोक्खं सब्बद्धा पिंडियं अणंतुगुणं । r पावइ मुक्तिसुहं णंताहि वग्ग वग्गूहिं || [નિરાબાધ અવસ્થા જેમણે પ્રાપ્ત કરી લીધી છે એવા સિદ્ધો જે સુખ અનુભવે છે તેવું સુખ મનુષ્યોની પાસે નથી તથા સર્વ પ્રકારના દેવો પાસે નથી. દેવતાઓના ત્રણે કાળ (ભૂત, વર્તમાન અને ભવિષ્ય)નાં સુખોને એકત્રિત કરવામાં આવે અને એને અનંતવાર વર્ગ-વર્ગિત (એટલે ગુણિત-Square) ક૨વામાં આવે તો પણ મુક્તિ સુખની તોલે તે ન આવે.. યોગશાસ્ત્રમાં શ્રી હેમચંદ્રાચાર્યે પણ કહ્યું છે :
सुरासुरनरेन्द्राणां यत्सुरवं भुवनत्रये । तत्स्यादनन्तभागोपि न मोक्षसुखसंपद : ।
[સુર, અસુર અને નરેન્દ્રોને આ ત્રણ ભુવનમાં જે સુખ છે તે સુખ મોક્ષસુખની સંપદા પાસે અનંતમાં ભાગ જેટલું પણ નથી.] ‘પ્રશમરાતમાં વાચક ઉમાસ્વાતિ કહે છે :
देहमनोवृत्तिभ्यां भवतः शारीर मानसे दुःखे | तदभावस्तदभावे सिद्धं सिद्धस्य सिद्धिसुखम् ।। ‘સિરિસિરિવાલ કહા'માં શ્રી રત્નશેખરસૂરિએ કહ્યું છે
..
जे अ अनंतमणुत्तंरमणोवमं सासयं सयाणंद 1 सिद्धिसुहं संपत्ता ते सिद्धा दिंतु मे सिद्धिं ॥ ‘તત્ત્વાનુશાસન’માં કહ્યું છે 13
आत्मायत्तं धातिकर्मक्षयोद्भूतं यत्तन्मोक्षसुखं
[જે સુખ સ્વાધીન છે, બાધારહિત છે, ઇન્દ્રિયોથી પર છે, આત્મિક છે, અવિનાશી છે તથા ઘાતિ કર્મોના ક્ષયથી પ્રગટ થયું છે તેને ‘મોક્ષસુખ’ કહેવામાં
આવે છે.]
Jain Education International
૬૭
निरावाधमतीन्द्रियमनीश्वरम् । વિદ્યુ: ||
ઉપાધ્યાય શ્રી યશોવિજયજી ‘શ્રીપાલ રાસ'માં લખે છે :
ઉપમા વિણ નાણી ભવમાંહે, તે સિદ્ધ દિયો ઉલ્લાસ રે.
For Private & Personal Use Only
www.jainelibrary.org