________________
૩૪૭
-
-
-
-
સાધર્મિક વાત્સલ્ય
जिनै समान धर्माणः सार्मिका उदाहताः ।
द्विधापि तेषां वात्सल्यं कार्यं तदिति सप्तमः ।। [ શ્રી જિનેસ્વર ભગવંતોએ સરખા-સમાન ધર્મવાળાને સાધર્મિક કહ્યાં છે, તે સાધર્મિકનું બંને રીતે દ્રવ્યથી અને ભાવથી વાત્સલ્ય કરવું તે સાતમો દર્શનાચાર છે. !
સાધર્મિકોને અન્ન, વસ્ત્ર, ઔષધ, રહેઠાણ ઇત્યાદિ વડે સહાય કરવી તે દ્રવ્ય સાધર્મિક વાત્સલ્ય છે. સાધર્મિકો પ્રત્યે બંધુભાવ, પ્રેમભાવ રાખવો તે ભાવ વાત્સલ્ય છે.
જૈન ધર્મમાં પંચાચારનું મહત્ત્વ ઘણું છે. આ પાંચ આચાર છે : (૧) જ્ઞાનાચાર, (૨) દર્શનાચાર, (૩) ચરિત્રાચાર, (૪) તપાચાર અને (પ) વર્યાચાર. આ દરેક આચારના વળી પેટા પ્રકારો છે.
ધાર્મિક વાત્સલ્ય એ દર્શનાચારનો એક ભેદ છે. દર્શનાચારના આઠ ભેદ નીચેની દર્શનાચારની ગાથામાં બતાવવામાં આવ્યા છે :
निस्संकिय, निक्लंकिय, निवितिगुच्छा, अमूढदिट्ठीय । - ૩યવૂહ, ધિરર, વછન્ન માને ૩ . (૧) નિઃશંક, (૨) નિ:કાંક્ષા, (૩) નિર્વિચિકિત્સા, (૪) અમૂઢ દૃષ્ટિ, (પ) ઉપબૃહણા-ધર્મજનની પ્રશંસા, (૬) સ્થિરીકરણ, (૭) વાત્સલ્ય, (૮) પ્રભાવના. આમાં વાત્સલ્ય એટલે સાધર્મિક વાત્સલ્ય.
આમ, સાધર્મિક વાત્સલ્યને દર્શનાચારનો એક પ્રકાર કહ્યો છે. એનો અર્થ કે જે વ્યક્તિમાં સાધર્મિક વાત્સલ્ય ન હોય તેને સમ્યગ્દર્શન ન થાય.
- સાધર્મિક વાત્સલ્યની પ્રથા ઋષભદેવ ભગવાનના સમયથી ચાલી આવે છે. એક વખત ઋષભદેવ ભગવાન અષ્ટાપદગિરિ ઉપર સમોસર્યા. એ વખતે ભગવાનની ભક્તિ કરવા માટે ભરત મહારાજાએ વિવિધ પ્રકારના ભોજનની વાનગી તૈયાર કરાવી અને એ બધી પાંચસો ગાડામાં ભરાવીને તૈયાર કરાવ્યાં. (એ કાળે આહાર પણ એટલો બધો થતો હતો.) પછી એમણે ભગવાનને વિનંતી કરી, “ભગવાન, આપ ગોચરી વહોરવા પધારો.'
ત્યારે ભગવાને કહ્યું, ‘ભરત ! તું રાજા છે. એટલે અમને તારા મહેલનું અન્ન-રાજપિડ ખપે નહીં. મારા મુનિઓ જે વિચરે છે તેમને પણ મેં એ પ્રમાણે સૂચના આપી છે.'
તે વખતે ભગવાને ત્યાં આવેલા ઈન્દ્રને મુનિઓ માટે કઈ વસ્તુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org