________________
જિનતત્ત્વ
૧૮૮
એનો ઉત્તર એ છે કે સૂત્ર કે મંત્રમાં નો પદ પહેલાં મૂકવાની પરાપૂર્વથી ચાલી આવેલી પરંપરા છે. એથી લય સચવાય છે અને ભાવ આવે છે. મંત્રવિદોને પોતાની સાધના દ્વારા થયેલી અનુભૂતિ પ્રમાણે ‘નમો’ પદ પહેલાં મૂકવાની પ્રણાલિકા અત્યંત પ્રાચીન સમયથી ચાલુ થયેલી છે. આપણે ત્યાં ‘નમોત્થશં’માં, ‘નમોસ્તુ વર્ધમાનાય’માં, ‘નમો ભગવતે પાર્શ્વનાથાય' વગેરેમાં તથા અન્ય દર્શનોમાં પણ ‘નમો ભગવતે વાસુદેવાય' ઈત્યાદિમાં ‘નમો’ પદ પહેલાં મૂકવામાં આવ્યું છે. મંત્રો કે સૂત્રોમાં નો પદ છેલ્લે આવતું હોય એવાં ઉદાહરણો પણ મળશે. પણ એકંદરે આઘ પદ તરીકે નો વિશેષ પ્રચલિત છે.
સ્વરભંજનની દૃષ્ટિએ નો શબ્દનું વિશ્લેષણ થયું છે. ‘મન' શબ્દમાં બે સ્વરયુક્ત વ્યંજન છે, : ૬ અને ૧. આ બંને વ્યંજનોનો જ્યારે વિપર્યય કે વ્યત્યય થાય છે ત્યારે શબ્દ બને છે 'નમ'. આ સ્થૂલ ક્રિયાને સૂક્ષ્મ રીતે ઘટાવીને કહેવામાં આવે છે કે જ્યારે બહિર્મુખ રહેતા મનને અંદર વાળવામાં આવે, મન અંતર્મુખ જ્યારે બને ત્યારે ‘મન’નું ‘નમ’ થાય છે.
નમો (મો) ને ઉલટાવવાથી મોન (મો) થશે. મોન (મોણ) એટલે મુનિપણું. મનને સંસાર તરફથી પાછું ફેરવવામાં આવે ત્યારે જ મુનિપણું પ્રાપ્ત થઈ શકે છે. એટલે નો પણ ત્યારે જ સાર્થક ગણાય કે જ્યારે તે સંસાર તરફથી મુખ ફે૨વીને પંચપરમેષ્ઠિ ત૨ફ વાળવામાં આવે. મોનનો અર્થ જો મૌન ક૨વામાં આવે તો એનો અર્થ એ થયો કે જીવે હવે શાંત બની મૌનમાં સ૨કી અંતર્મુખ થવાનું છે.
‘નમો’ પદમાં કાર અંતર્ગત રહેલો છે. નો પદનાં સ્વરભંજન છૂટાં પાડીએ તો તે આ પ્રમાણે થાય : 7 + 3 + ક્ + ઓ. આ સ્વરવ્યંજનનો વિપર્યય કરીએ તો આ પ્રમાણે થશે : સ્રો + મેં +5 +૬. આમાં પ્રથમ બે વર્ણ તે એક્ =ૐ છે. આમ નો પદમાં મંત્રબીજ કારનો સમાવેશ થયેલો છે.
હેમચંદ્રાચાર્યે બતાવ્યું છે કે ‘ન’ અક્ષર સૂર્યવાચક છે અને ‘મ’ અક્ષર ચંદ્રવાચક છે. એટલે ‘નમો’ માં ‘ન' સૂર્યવાચક છે અને ‘મ' ચંદ્રવાચક છે. મંત્રશાસ્ત્રમાં આત્માને માટે સૂર્યની ઉપમા છે અને મનને માટે ચંદ્રની ઉપમા છે. એટલે ‘નમો’માં પ્રથમ આત્માનું સ્થાન છે અને પછી મનનું સ્થાન છે અર્થાત્ મન કરતાં આત્મા સર્વોપરિ છે. મન એટલે સંસાર અને આત્મા એટલે મોક્ષ, એટલે નો પદ સૂચવે છે કે મન અને મનના વિસ્તારરૂપ કાયા, વચન, કુટુંબ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org