________________
દિવ્ય ધ્વનિ
૩૫૧
ખુલ્લાં ન કરનાર, બીજાંનાં હૃદયને ન વીંધનાર), (૨૧) અર્થધર્માભ્યાસનેય, (૨૨) ઉદાર, (૨૩) પરનિંદાત્મોત્કર્ષવિપ્રયુક્ત, (૨૪) ઉપગતશ્લાઘ, (૨૫) અનાનીત, (૨૯) ઉપાદિતાચ્છિન્નકૌતુહલ, (૨૭) અભુત, (૨૮) અનાભિવિલંબિત, (૨૯) વિશ્વમવિક્ષેપ – કિલિકિંચિતાદિવિમુક્ત, (૩૦) અનેકજાતિસંશ્રયથી વિચિત્ર, (૩૧) આહિતવિશેષ(બીજા વચનોની અપેક્ષાએ વિશિષ્ટ), (૩૨) સાકાર, (૩૩) સત્ત્વપરિગ્રહ, (૩૪) અપરિખેદિત અને (૩૫) અવ્યુચ્છેદ. કોઈ કોઈ ગ્રંથોમાં આ પાંત્રીસ ગુણોનાં નામોમાં કે ક્રમમાં ફરક જોવા મળે છે.
તીર્થંકર પરમાત્માના, “શ્રવણપરમસીખ' આપનાર દિવ્ય ધ્વનિનો મહિમા સમયે સમયે ગ્રંથકાર મહર્ષિઓએ વર્ણવ્યો છે. ઉ. ત., દિવ્યધ્વનિ પ્રાતિહાર્યનું વર્ણન કરતાં “પ્રવચનસારોદ્ધારમાં કહ્યું છે :
सरसतरसुधारससोदरः सरभसविविधदेशापहतमुक्तव्यापार – प्रसारितवदनैः कुरंगकुलैराकुलाकुलैरुत्कणराकर्ण्यमानः
सकलनानन्द-प्रमोददायी दिव्यध्वनिर्वितन्यते। શ્રેિષ્ઠતમ અમૃતરસ સરખો, કાનને અતિપ્રિય લાગતો તથા જે સાંભળવા માટે ચરવાનું ઇત્યાદિ કાર્ય છોડી દઈ આસપાસથી જ્યાં હરણોનાં ટોળેટોળાં દોડી આવે છે તથા સર્વ જનોને આનંદપ્રમોદ આપનારો એવો દિવ્ય ધ્વનિ દિવો સમવસરણમાં) કરે છે..
દિવ્ય વનિનું વર્ણન કરતાં કલ્યાણ મંદિર સ્તોત્રમાં શ્રી સિદ્ધસેન દિવાકર કહે છે :
स्थाने गभीरहृदयोदधिसम्भवायाः पीयूषतां तव गिरः समुदीरयन्ति। पीत्वा यतः परमसंमदसंगभाजो
भव्या ब्रजन्ति तरसाऽप्यजरामरत्वम् ।। હેિ સ્વામિન્! ગંભીર હૃદયરૂપ સમુદ્રથી ઉત્પન્ન થયેલી તમારી વાણીને પંડિતો અમૃતરૂપ કહે છે, તે યોગ્ય જ છે. જેવી રીતે તમારી વાણીનું પાન કરીને મનુષ્ય અજરામરપણું પામે છે તેવી જ રીતે તમારી વાણીનું શ્રોત્રેન્દ્રિય વડે પાન કરીને, ભવ્ય પ્રાણીઓ પરમાનંદના અનુભવને પામીને શીધ્રપણે અજરામરપણાને – મોક્ષને પામે છે.]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org