________________
અગિયાર ઉપાસક – પ્રતિમાઓ
૨૪૧ (૩) સ્ત્રી સાથે પત્રવ્યવહાર ન રાખવો. સ્ત્રીઓની વાતો પ્રગટપણે કે ગુપ્ત રીતે ન સાંભળવી.
(૪) પૂર્વે ભોગવેલા કામભોગોનું સ્મરણ ન કરવું. (૫) કામોત્તેજક, સ્વાદિષ્ટ, સ્નિગ્ધ, ગરિષ્ઠ ભોજન ન કરવું.
(૭) સ્ત્રી જ્યાં બેઠી કે સૂતી હોય એવા આસન, શયન પર બે ઘડી નું બેસવું.
(૮) કામોત્તેજક વાતો, ગીતો વગેરે ન સાંભળવાં કે તેવાં દૃશ્યો ન જોવાં. (૯) વધુપડતું ભોજન કરવું નહીં. ઉણોદરી વ્રત કરવું.
(શીલની નવ વાડ જરાક જુદી રીતે પણ ગણાવાય છે. એના ક્રમમાં પણ ફરક હોય છે. પરંતુ એનું હાર્દ એક જ છે.)
આ પ્રતિમા ધારણ કરનારે છ મહિના બ્રહ્મચર્યવ્રતનું પાલન કરવાનું હોય છે. જો તે સાતમી અને આગળની પ્રતિમા ધારણ કરવાનું છોડી દે તો પછી બ્રહ્મચર્ય એને માટે ફરજિયાત નથી. બીજી બાજુ પ્રતિમા ન ધારણ કરનાર પરંતુ માવજજીવન બ્રહ્મચર્ય વ્રત ધારણ કરનારા શ્રાવકો પણ હોય છે. એટલે જ કહ્યું છે :
एवं जा छम्मासा एसोहिगओ इहरहा दिलू ।
जावज्जीवं पि इमं वज्जड़ एयंमि लोगंमि ।। [આ પ્રમાણે પ્રતિમાધારી શ્રાવક છ મહિના દિવસરાત બ્રહ્મચર્યનું પાલન કરે છે. આ પ્રતિમા વગર પણ યાવનજીવન બ્રહ્મચર્ય પાળનારા હોય છે. ]
આવશ્યકચૂર્ણિમાં સચિત્ત આહારના ત્યાગની પ્રતિમાને છઠ્ઠી પ્રતિમા તરીકે બતાવી છે.
દિગંબર પરંપરામાં શ્રી સમંતભદ્રાચાર્યે “રત્નકરંડક શ્રાવકાચારમાં રાત્રિભોજનત્યાગને છઠ્ઠી પ્રતિમા તરીકે બતાવી છે, તો શ્રી બનારસીદાસે નાટક સમાચાર'માં “દિવામૈથુનત્યાગીને છઠ્ઠી પ્રતિમા તરીકે બતાવી છે.' બનારસીદાસ લખે છે :
જો દિન બ્રહ્મચર્ય વ્રત પાલે, તિથિ આર્ય નિશિ દિવસ સંભાલૈ. ગહી નવ વાડ કરે વ્રત રક્ષા, સો પ, પ્રતિમા શ્રાવક અખ્યા.
સાતમી સચિત્યાગ પ્રતિમા સાતમી પ્રતિમા “સચિત્તત્યાગની છે. હું બહાર સત્તની | શ્રાવકે આગળની છ પ્રતિમા ધારણ કરવા સાથે હવે સળંગ સાત માસ સુધી આ પ્રતિમા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org