SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ ભૃગુકચ્છ-મુનિસુવ્રતના ઐતિહાસિક ઉલ્લેખો ૧૫. આ સિવાય સંગમસૂરિ કૃત “ચૈત્ય પરિપાટી સ્તવન (ઈસ્વીસન્ ૧૦૭૫-૧૧૦૬ વચ્ચે)માં નર્મદા તીરે ભૃગુકચ્છના શકુનિકાવિહારના જિનપતિ મુનિસુવ્રતનો જય ગાયો છે : યથા : हरिवंशभूषणमणिभृगुकच्छे नर्मदासरित्तीरे । श्रीशकुनिकाविहारे मुनिसुव्रतजिनपतिर्जयति ॥११॥ ૧૬. પાછળ ઉલ્લિખિત શ્રીચંદ્રસૂરિના મુનિસુવ્રતચરિત્રમાંના એક અન્ય કથન અનુસાર કર્તાના પ્રગુ–હર્ષપુરીયગચ્છના અભયદેવસૂરિના–ઉપદેશથી ધક્કટવંશીય વરણગ શ્રેષ્ઠીના પુત્ર “સત્ય” (સુવિખ્યાત સાંતૂમંત્રી) એ ભરૂચના સમલિયા-વિહાર પર સુવર્ણકલશો ચઢાવેલા૫ : યથા : वरणगसुयं संतूयसचिवं भणिऊण भरुयच्छे सिरिसंवलियाविहारे हेममया रोविया कलसा ॥१०२॥ અભયદેવ સૂરિ સિદ્ધરાજના શાસનના આરંભનાં વર્ષો સુધી વિદ્યમાન હતા; અને પ્રસ્તુત ઘટના ઈસ. ૧૧૦૦ કે તેથી થોડું પહેલાં બની હશે. આપણે ઉપર જોયું તેમ ઈ. સ. ૧૧૦૨માં તો સુવર્ણકળશથી મંડિત મુનિસુવ્રતના મંદિરની નોંધ મળે છે જ. સાંતૂમંત્રીના સંદર્ભમાં “સુવર્ણકળશો” બહુવચનમાં પ્રયોગ હોઈ સંભવ છે કે એમના સમયમાં હતું તે મંદિર પણ પછીથી આમ્રભટ્ટ દ્વારા નવનિર્મિત વિહારની જેમ ચતુર્વિશતિ જિનાલય હોય. ૧૭. બપ્પભદિસૂરિની પરંપરામાં થયેલા, યશોભદ્રસૂરિ-ગચ્છના સિદ્ધસેનસૂરિ અપનામ “સાધારણાંક'ના ચૈત્યપરિપાટીસ્તવન(ઈસ્વીસન્ની ૧૧મી સદીનું ત્રીજું ચરણ)માં પ્રસિદ્ધ જૈન તીર્થોની નામાવલીમાં ભૃગુકચ્છનો સમાવેશ છે. આથી સુવ્રતજિનના તીર્થની ખ્યાતિ તે કાળ પૂર્વની માનવી ઘટે. ૧૮. પ્રભાવક ચરિતકાર (ભૃગુકચ્છના મુનિસુવ્રત જિનાલયના અધિષ્ઠાયક) વિજયસિંહસૂરિના ચરિતમાં પ્રસ્તુત આચાર્ય પુરાતન આર્ય ખપટની પરંપરામાં થયાનું જણાવે છે. પ્રસ્તુત મંદિર ભરૂચમાં અકસ્માત લાગેલ આગથી કેવી રીતે ભસ્મ થઈ ગયું અને આગમાં બચી ગયેલ તીર્થનાયકની પ્રતિમા માટે સૂરિએ બ્રાહ્મણોએ આપેલ ફાળાથી કેવી રીતે ફરીથી બંધાવ્યું તેનું ત્યાં વૃત્તાંત આપ્યું છે. પ્રભાચંદ્રાચાર્ય વિજયસિંહસૂરિને બહુ પુરાણા આચાર્ય માનતા હોય તેમ લાગે છે. મિસમાહિત ધિયાં. નામથી શરૂ થતા નેમિનાથના મનોહર સ્તોત્રના કર્તા આ વિજયસિંહસૂરિ છે અને તેમણે તે ઉજ્જયંતગિરીશ અરિષ્ટનેમિને ઉબોધીને (યાત્રા સમયે) રચ્યાનું પ્રભાચંદ્ર કહે છે. બીજી બાજુ કલ્યાણવિજયજીનું કહેવું છે કે આ સૂરિ આમ્રભટ્ટથી બસો-અઢીસો વર્ષથી વિશેષ પુરાણા કાળે થઈ ગયાનું લાગતું નથી. સ્તોત્રની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249386
Book TitleBhrugukaccha Munisuvratna Aetihasik Ullekho
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherZ_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2
Publication Year2002
Total Pages15
LanguageGujarati
ClassificationArticle & History
File Size528 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy