________________
પોરબંદરના શાંતિનાથ જિનાલયના બે શિલાલેખો
છે તે સવજી પારેખ પણ એ જમાનાની એક અગ્રણી અને રંગદર્શી વ્યક્તિ હતી. પારેખ કુટુંબની પરંપરા અનુસાર તેઓ પોરબંદરના નગરશેઠ હતા. પોરબંદરની બંદરી જકાત ૬ ટકા લેવાતી તેને ૩ ટકા કરાવવા માટે મુગલ સમ્રાટ શાહજહાં પાસે પ્રતિનિધિમંડળ લઈ એ દિલ્હી ગયેલા. આ જકાત-માફીને લગતું શાહી ફરમાન અને જૂનાગઢના સૂબેદારનો ટુક્કો આજે પણ શેઠ ગોવિંદજી પારેખના પુત્ર પ્રા. ડા મથુરાદાસ પારેખ પાસે મોજૂદ છે. કાર્યમાં મળેલી સફળતાથી ખુશ થઈ રાણા સરતાનજીએ પારેખ સવજી કાન્હજીને વારસાગત કેટલીક સગવડો આપતું સંવત્ ૧૭૧૫(ઈ. સ. ૧૬૫૯)નું તામ્રશાસન પણ શેઠ ગોવિંદજી પારેખ પાસે છે". મંદિર ગજધર ગોવિંદના પુત્ર ગણપતિએ બાંધેલું. ‘સૂત્રધાર'ને બદલે ‘ગજધર' શબ્દનો પ્રયોગ લગભગ આ સમયે રાજસ્થાનમાં પણ થતો હોવાનું જાણમાં છે. સ્થપતિઓનાં નામ પ્રશસ્તિલેખોમાં હંમેશાં જોવા મળતાં નથી એટલે આ ઉલ્લેખ મહત્ત્વનો ગણાય.
પારેખ કુટુંબની વંશાવળી
પારિખ્ય
પારિખ્ય
પારિખ્ય
પારિખ્ય
પારિખ્ય
સવજી
બીજો શિલાલેખ માત્ર ૭ પંક્તિનો અને ટૂંક જગ્યામાં લખેલો છે. અહીં પણ આ જિનાલયનું ઋષભદેવનું ગર્ભગૃહ (?) કોઈ ઇન્દ્રજી કલ્યાણજીની પત્ની રુખમણીએ (લાખ ખરચીને ?) બંધાવ્યાનો ઉલ્લેખ છે અહીં પણ ‘પોતાના દ્રવ્યથી’ને બદલે ‘પોતાનાઈ દ્રવ્યઇ’ જેવો પ્રયોગ જોવા મળે છે. ‘વાસો ઢલામ’ શબ્દનો પૂરો અર્થ સમજાયો નથી. પ્રાસાદ સંઘાઉ (સંઘ તરફથી) બન્યો હતો એટલું વિશેષ આ લેખમાંથી જાણવા મળે છે.
જગા
સેણા
Jain Education International
વાસણા
I
કાન્હજી = કમલાદે
ટિપ્પણો :
૧. મહાભારત (ઈ. સ. પૂ ૧૫૦-૪૦૦) સુદામાપુરી વિશે અજ્ઞાત જણાય છે. શ્રીમદ્ ભાગવત (૯મી શતાબ્દી) અને બ્રહ્મવૈવર્તપુરાણ (મધ્યકાલીન) કૃષ્ણ દ્વારા થયેલા સુદામાના દારિદ્રયનિવારણની વાત કહે છે, પણ સુદામાપુરી વિશે મૌન સેવે છે. પણ સ્કંદપુરાણ અંતર્ગતની ‘‘પ્રહ્લાદોક્ત સંહિતા’’માં સુદામાનું સંપૂર્ણ કથાનક, સુદામાપુરી, અશ્વામતીનો સમુદ્ર સાથે સંગમ, સુદામા દ્વારા થયેલા અહીંના કેદારનાથ અને કેદારકુંડની પ્રતિષ્ઠા ઇત્યાદિ સવિસ્તર વર્ણવેલાં છે. પોરબંદરની ખાડીનું અશ્વામતી નામ આજ દિવસ સુધી પરિચયમાં છે. ઘેડ પ્રદેશમાં ભાદર અને ઓઝતનાં પૂરનાં પાણી છલકાઈને રેલ આવે છે ત્યારે અશ્વામતીમાં ઘોડાપૂર આવે છે. અશ્વામતી સંગમ આજે પણ પવિત્ર ગણાય છે. કેદારકુંડ પણ છે, પણ
૯
For Private & Personal Use Only
www.jainelibrary.org