SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ગિરનારના એક નવપ્રસિદ્ધ પ્રશનિ-લેખ પર દૃષ્ટિપાત અહીં એ યાદ દેવડાવું કે ગિરનારના શિલાલેખમાં આબૂના નેમિનાથચૈત્યની જગતી પર બે દેવકુલિકાઓ અને તેમાં કુલ ૬ પ્રતિમાઓ ભરાવ્યાનો ઉલ્લેખ છે : આબૂના શિલાલેખ ક્રમાંક ૩૫૨માં પણ એ જ વાત કહી છે. ૧૫. જુઓ લેખ સંદોહ, લેખાંક ૩૫૦, પૃ ૧૪૦-૧૪૧, અને અહીં પરિશિષ્ટ. ૧૬, એજન લેખક ૩૫૫. ૧૭. એજન લેખાંક ૩૪૫. ૧૮ એજન લેખાંક ૩૫૩. ૧૯ એજન લેખાંક ૩૫૪. ૨૦. એજન લેખાંક ૩૪૬-૩૪૭; ને જુઓ અહીં પરિશિષ્ટ, આ લેખોમાંથી કયા દેરી ૩૮માં અને કયા ૩૯માં છે તે વિશે મુનિશ્રી જયંતવિજયજીએ સ્પષ્ટતા નથી કરી. દેરી ચણાવ્યાના લેખો સં. ૧૨૯૧ના છે, જયારે અંદરની મૂર્તિઓના લેખો સં. ૧૧૯૩ના છે. આથી એમ જણાય છે કે કોઈ કારણસર પ્રતિમા પ્રતિષ્ઠિત કરવામાં સારો એવો વિલંબ થયેલો. ૨૧. એજન લેખાંક ૩૫૨; જુઓ અહીં પરિશિષ્ટ. ૨૨. ફેર એટલો છે કે આબુના લેખમાં ત્યાં એક નહીં પણ બે દેવકુલિકાની વાત કરી છે : “નૈમિનાથ” ઉપરાંત પાર્શ્વનાથ'ની પણ, ૨૩. ગિરનારના ‘વસ્તુપાલવિહારમાંથી મળેલા સામંતસિહ-સલક્ષણસિંહના સં. ૧૩૦૫ ઈસ. ૧૨૪૯ના પ્રતિમાલેખનો ઉલ્લેખ કરી, અને પોતાના લેખમાં ચલ ગિરનારથી અગાઉ પ્રાપ્ત થયેલા સં. ૧૨૪૪ ? ઈ. સ. ૧૨૮૮ના લેખ ક્રમાંક ૨ માં આવત ચાહડ નામ તરફ ધ્યાન દોરી શ્રી અત્રિ લાડની પિછાન અંગે આ પ્રમાણે અવલોકન કરે છે* “ “લાહડે ફરી એક વાર ઉપરના બીજા લેખ(સં. ૧૨૪૪)માં ઉલ્લેખિત ‘આહડનું' અને ઉદયનપુત્ર “વાહડ કે “ચાહડ'નું સ્મરણ કરાવે છે.” “ઈસુની તેરમી શતાબ્દીના તુલ્યકાલીન એક સાલ વિનાના એક લેખમાં ઉલ્લેખિત “ચાહડ’અને પ્રસ્તુત ‘લાહડ'વચ્ચે જ અભેદ હોય તો ઉપર્યુક્ત સામંતસિંહ તેનો પ્રપૌત્ર થયો તે એક મજાનો સંયોગ છે.” (“ગિરનારના,” પૃ. ૨૦૮.) * શ્રી અત્રિએ ત્યાં એમની પાદટીપ ૧૭ મૂકી D. B. Diskalkar “Inscriptions of Kathiawad,” Ancient India, Vol 1-1 Inscription, No. 18, pp. 695નો હવાલો આપ્યો છે. ૨૪. આ ગ્રંથપ્રશસ્તિ મૂળ ડૉ. પિટર્સનના ત્રીજા રિપોર્ટ pp. 60 and 73 ઉપર પ્રગટ થયાનું અને પોતે મુનિશ્રી જિનવિજયજીસંપાદિત પ્રાચીન જૈન લેખસંગ્રહના બીજા ભાગના અવલોકનમાં જોયાનું મુનિશ્રી જયંતવિજયજીએ નોંધ્યું છે : (જુઓ લેખસંદોહ૦, પૃ. ૪૪૮) પછીથી મુનિશ્રી જિનવિજયજીએ પુરાતન હિત મૈનપુતવા (Singhi Series No. 18), મુંબઈ ૧૯૪૩માં એ મોટી અને બીજી ત્રણ નાની ગ્રંથપ્રશસ્તિઓ સમાવિષ્ટ કરી છે. અહીં પરિશિષ્ટમાં તે સૌના મૂળ પાઠ અવતાર્યા છે. ૨૫. સરખાવો લેખસંદોહ, પૃ. ૪૪૯-૪૫૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249380
Book TitleGirnarna Navprasiddh Lekhpar Drushtipat
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherZ_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2
Publication Year2002
Total Pages24
LanguageGujarati
ClassificationArticle & Tirth
File Size706 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy