SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ રસીલા કડીઆ, શીતલ શાહ Nirgrantha ૫+(?) આદિનાથ ચિંતામણિ પાર્શ્વનાથ ભોંયરામાં સીમંધર સ્વામી ૭૦૦ ૧૮ શાંતિનાથ 9 s ૬૩૬ (અકબરપુર) સામલીયા ઋષિની પોલ ૧ વલીયા સાહાની પોલ હુંબડવસહી મજૂદપુરિ કતપુરિ કુલ દેહરાં ૮૪ કુલ ભોંયરાં ૧૧ આદિનાથ નામ નથી વાસુપૂજ્ય સ્વામી બાવનજિનાલય 33 પ્રતિમા સંખ્યા ૧૦૭૨ ૨ ૨. પવવિજય કૃત ખંભાત ચૈત્યપરિપાટી (સં. ૧૮૧૭) પદ્મવિજયની ખંભાત ચૈત્યપરિપાટી(સં. ૧૮૧૭)નો ઉલ્લેખ જૈન ગૂર્જર કવિઓ (ભા૬ પૃ. ૬૮) પર શ્રી જયંત કોઠારીએ કર્યો છે. કૃતિ અંગેની આથી વિશેષ કોઈ માહિતી તેમાં ઉપલબ્ધ થતી નથી. લીંબડીના ભંડારમાં ક્રમાંક નં. ૧૮૪૨ તથા ક્રમાંક નં૨૧૫૭નો ઉલ્લેખ આ ચૈત્યપરિપાટીના સંદર્ભમાં થયેલો છે. મુનિ ભુવનચંદ્ર અનુસંધાન(અંક-૮, પૃ. ૬૨થી ૭૯)માં પણ પદ્મવિજયજીની આ હસ્તપ્રતનો ઉલ્લેખ કર્યો છે. પ્રસ્તુત ચૈત્યપરિપાટીની એક નકલ ડહેલાના ઉપાશ્રયનો જ્ઞાનભંડાર, અમદાવાદ (ડાવ નં. ૧૬૮, પ્ર. નં. ૮૭૪૧)માંથી ઉપલબ્ધ થઈ, પદવિજયજીની આ સિવાય બીજી હસ્તપ્રત મળી નહિ હોવાથી એક જ હસ્તપ્રતને આધારે તેનું સંપાદન કરવામાં આવ્યું છે. જયંત કોઠારી સંપાદિત સંવર્ધિત આવૃત્તિ જૈ ગૂ. ક. (ભા. ૬ પૃ. ૪૭) પર પદ્મવિજયજીના જીવન અને તેમની રચનાઓ વિશે વિગતસભર નોંધ આપવામાં આવી છે. તેમાં તેમનો સમય સં. ૧૭૯૨-સં. ૧૮૬૨ (ઈ. સ. ૧૭૨૬-૧૮૦૬) છે. આ નોંધને આધારે ‘અમદાવાદની શામળાની પોળમાં રહેતા ગણેશ નામના શ્રીમાળી વણિકને ત્યાં ભાર્યા ઝમકુથી સં. ૧૭૯૨ના ભાદ્રહ -શુ રને દિને પાનાચંદ નામનો પુત્ર થયો. છ વર્ષની વયે માતા મરણ પામી. સં. ૧૮૦૫ના મહા શુદિ પને દિને ઉત્તમવિજય પાસે રાજનગરમાં જ દીક્ષા લીધી, નામ પદ્મવિજય સ્થાપિત કર્યું. તેઓની ગુરુપરંપરા સંવેગસંગીસત્યવિજય-ખીમાવિજય-જિનવિજય-ઉત્તમવિજયની છે. દીક્ષા લીધા બાદ ગુરુ પાસે શાસ્ત્રાભ્યાસ કર્યો ને સુરતમાં સુવિધિવિજય પાસે શબ્દશાસ્ત્ર શીખ્યા તથા કાવ્ય અલંકારાદિનો અભ્યાસ કર્યો. તારાચંદ સંઘવીની સહાયથી ન્યાયશાસ્ત્ર શરૂ કર્યું. પછી તપગચ્છના. વિજયધર્મસૂરિ ભટ્ટારકે રાધનપુરમાં સં. ૧૮૦૧માં પદ્મવિજયને પંડિતપદ આપ્યું. તેઓએ બુરહાનપુરમાં અને રાંદેરમાં સ્થાનકવાસી સાથે વાદ કર્યો હતો. વળી, તેમણે શત્રુંજય, પાટણ, રાજનગર, સુરતમાં બિબ પ્રતિષ્ઠા કરી હતી અને વિરમગામમાં ચૈત્ય પ્રતિષ્ઠા પણ કરી હતી. અનેક તીર્થોની અનેક વાર યાત્રા પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249349
Book TitleKhambhatni Be Aprakat Chaitya Paripatio
Original Sutra AuthorN/A
AuthorRasila Kadia, Shital Shah
PublisherZ_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf
Publication Year2002
Total Pages45
LanguageGujarati
ClassificationArticle & Kavya
File Size960 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy