________________
Vol. IIT - 1997-2002
હૈમ વ્યાકરણ પરંપરામાં....
૧૨૯
વળી, હેમહંસગણિએ દિર્ઘદ્ધ સુવર્દ્ર મવતિ | (ચા, સં. ૨-૩૬) એવા ન્યાયથી આ (ચી. . ર૧૮) ન્યાયનું અસામર્થ્ય દર્શાવાયું છે એમ કહ્યું છે. કેમકે જો બધાં જ વાક્યો સાવધારણ જ લેવાનાં હોત તો, એક વખત જ કહેવામાં આવેલી કોઈ પણ વિધિ સુબદ્ધ જ પુરવાર થાત. તે સ્થિતિમાં કોઈ પણ વિધિનું બે વખત વિધાન કરવાની જરૂર હતી જ નહીં. પણ હેમચંદ્રે ઘણી વિધિઓ બબ્બે વાર કહી છે, તે દિર્ઘદ્ધ સુદ્ધ જતિ | કરવાના આશયથી. આમ સર્વ વાવચે સાવધારણમ્ I ન્યાયની અનિત્યતા સૂચવાય છે એમ જાણવું. અહીં, વિજય લાવણ્યસૂરિએ આ સર્વ વચ્ચે વિધારીમ્ની અનિત્યતા સિદ્ધ કરવા, બીજી રીતે રજૂઆત કરી છે. તેઓ કહે છે કે જે વિધિસૂત્રોમાં પુર્વ કારનું ગ્રહણ કર્યું છે, ત્યાં દિવ૮ સુવ પર્વત ! ન્યાયથી દોષાભાવ રહે છે એમ જાણવું. જો એમ નહીં માનો તો સર્વ વીશ્ય સાવધાનમ્ | ન્યાયની હાજરીમાં પર્વ કારનું ગ્રહણ વ્યર્થ જશે. આમ દિર્ઘદ્ધ સુવä પતિ ] ન્યાયથી સર્વ ઊઠ્યું સંવિધારણનું | નો બાધ થાય છે એમ નક્કી થશે.
શ્રી વિજય લાવણ્યસૂરિએ ન્યાયાર્થસિમ્પટીકામાં એક મહત્ત્વની વાત એ કરી છે કે–લક્ષ્યસિદ્ધિ કરવા માટે જ) શાસ્ત્રારંભે સ્યાદ્વાદનો સ્વીકાર કરવામાં આવ્યો છે. પરંતુ આ સ્યાદ્વાદ સાર્વત્રિક નથી. જો યાદ્વાદને સાર્વત્રિક માનીશું તો પ્રયોગવિધિ(= પ્રક્રિયાવસ્થા)માં જે તે સૂત્રથી વૈકલ્પિક વિધાન છે, કે અવૈકલ્પિક વિધાન ? તેનો નિર્ણય જ નહીં થઈ શકે. તેથી પ્રયોગવિધિમાં સર્વ વલ્વે સાવધાનમ્ એ ન્યાય માનવાનો છે અને અમુક (અનિયમિત જણાતાં) લક્ષ્યો(કવિઓનાં અમુકપ્રયોગો)ની સિદ્ધિ કરવા માટે જ યાદ્વાદ છે એમ જાણવું.
બીજો તબક્ક, શ્રી વિજય લાવણ્યસૂરિએ ન્યાયાર્થસિધુતરંગમાં એક સૂમ વિચારણા પણ મૂકી છે : જેમકે, ચાદ્વાદ એ તો અનેકાંતનો વાચક છે, તો પછી તેમાં (આવા સર્વ વાગ્યે સાવધારાન્ | ન્યાયથી રજૂ થતો) અવધારણા રૂપી અર્થ કેવી રીતે સુસંગત થશે ? તો આનું સમાધાન એ છે કે ભ્યાદ્વાદમાં અપેક્ષાભેદથી અવધારણા રૂપી અર્થ પણ અંતર્ભાવ પામેલો જ છે ! અને તેથી જ તો સાદ્વાદનો આશ્રય લઈને રચાયેલ સપ્તભંગી'માં ‘થાત્ ૩ ચેવ' | એવા ભંગમાં અવધારણાર્થનું પણ આશ્રમણ કર્યું છે. આમ વિજય લાવણ્યસૂરિએ બતાવ્યું છે કે સ્યાદ્વાદ અને સર્વ વાક્ય સાવધારાનું ! એવા ન્યાયની વચ્ચે કોઈ તાર્કિક દોષ નથી, વદતોવ્યાઘાત નથી. એટલે કે સ્યાદ્વાદ કહેવાથી શાસ્ત્રની પ્રયોગવિધિઓમાં અતિવ્યાપ્તિ થતી હતી, માટે તેને રોકવા સર્વ વાવ સાવધાળમ્ ! ન્યાય મૂક્યો છે – એમ ના સમજવું. બલ્ક, શાસ્ત્રમાં સ્યાદ્વાદનું અર્થઘટન સર્વ વાગ્યે સાવધારાન્ એવું (જ) લેવાનું છે એમ જાણવું. આ સૂક્ષ્મક્ષિકા માટે મુનિ વિજય લાવણ્યસૂરિ અભિનંદનને પાત્ર છે.
(૪)
હૈમવ્યાકરણ પરંપરામાં આ (ચા. સં. ૨-૧૮) ન્યાય વિશે જે વિચારણા થતી રહી છે તેની સમીક્ષા પણ કરવી જોઈએ જ શબ્દમાંનો સ્વાદ્ શબ્દ, કે જે મૂળભૂત રીતે સમી’નું, અથત વિધિલિનું ક્રિયાપદ (ત્રી. પુ. એ. વ) છે, તેનો અર્થ વિધિપરક (= વિધ્યર્થ રૂ૫) હોવા ઉપરાંત કામચાર (=સ્વેચ્છાચાર) રૂપ અર્થ પણ થઈ શકે છે - તે વાત સાચી છે. તથાપિ સર્વ વાવયં સાવધારાન્ ! એવા ન્યાયની કશી જરૂર જ નથી. જેમકે, આ. હેમચંદ્રસૂરિએ પોતે જે બ્રહદ્રવૃત્તિ લખી છે તેમાં દરેક સુત્રની વૃત્તિમાં પવત-ભવતઃ-વત્તિ | જેવાં વર્તમાનકાલિક ક્રિયાપદો વાપર્યા છે. તથા બીજી તરફ, લધુવૃત્તિ(સ્વોપ૪)માં તેમણે દરેક સૂત્રોનો અર્થ આપતી વખતે, વૃત્તિમાં વ્યા-તા-સુકા એવાં સપ્તમી'નાં રૂપો વાપર્યા છે. આવા વૃત્તિભેદનું રહસ્યાત્મક પ્રયોજન જો હાથ લાગે તો સર્વ વૈવિચં સાવધા૨ાન્ ! એવા ન્યાયની જરૂર રહે જ નહીં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org