SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ Vol. 1 995 વાદ-કવિ બપ્પભસૂિરિ ભાવાદિ સ્પષ્ટતયા સૂરિની જ કાવ્યરીતિ સૂચવી જાય છે. પ્રકૃતિ સ્તુતિ-કાવ્ય તેની લઢણ તથા અન્ય તમામ લક્ષણો જોતાં સ્પષ્ટતયા પ્રાફમધ્યકાલીન છે, અને શૈલી-વૈશિટ્ય બપ્પભટ્ટ તરફ જ અંગુલિનિર્દેશ કરે છે. આ સિવાય પણ સૂરીશ્વરની અન્ય રચનાઓ હશે; વિશેષ શોધખોળ અને પરીક્ષણથી તેમાંથી કોઈક ને કોઈક પ્રકાશમાં આવવાની શકયતા છે.) બપ્પભટ્ટની ઉત્કૃષ્ટ કાવ્ય પ્રતિભા વિષયે તેમની રચનાઓમાંથી ઉપર ઉઠ્ઠત કરેલ પદ્યો સાક્ષીભૂત બની રહે છે. એમની કાવ્યશૈલી માંજુલ્યપરક, માર્દવલક્ષી, કૃતિમધુર, અને પ્રશાન્તરસપ્રવણ હોવાનું સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. પ્રતીહારકાલીન સંગ્રહકાર શંકુક, મહાકવિ ધનપાલ, નાગેન્દ્રગથ્વીય વિજયસિંહસૂરિ, બૃહદ્રગથ્વીય નેમિચન્દ્રસૂરિ, અમદમસ્વામીચરિત્ર-પ્રશસ્તિકાર જિનસિંહસૂરિ, અને વિનયચન્દ્રસૂરિ સરખા કાવ્યમર્મજ્ઞોએ સૂરિવર ભદ્રકીર્તિની ભારતીને અર્પેલી અંજલિઓ અસ્થાને નહોતી. પ્રભાવકચરિતકારના કહેવા પ્રમાણે આમરાજે કાન્યકુન્જમાં સો હાથની ઊંચાઈનું અને ગોપગિરિમાં (કર્ણમાને) 23 હસ્તપ્રમાણ, એમ જિન મહાવીરનાં બે મન્દિરો નિર્માવેલાં. (ગોપગિરિના જિનાલયને મત્તવારણયુકત મંડપ હોવાનો ઉલ્લેખ પ્રભાવક ચરિતકાર કરે છે.) કનોજવાળું મન્દિર તો એ નગરના મધ્યયુગમાં વારંવાર થયેલ વિનાશમાં લુપ્ત થયું છે. ગોપગિરિ પર હાલ ચારેક જેટલાં જૂનાં મન્દિરો વિદ્યમાન છે, જેમાં એક જૈન મન્દિર છે ખરું, પણ તે તો સાધારણ કોટીનું અને વિશેષમાં મધ્યકાળનું છે. મહાવીરનું પુરાણું મન્દિર તો કાળના ગર્ભમાં વિલીન થયું જણાય છે, પરંતુ આઠમા શતકના ઉત્તરાર્ધ, તેમજ નવમા શતકમાં મૂકી શકાય તેવી ઘણી જિનપ્રતિમાઓ ત્યાંના વિશાળ પહાડી કિલ્લા અંતર્ગત પ્રાપ્ત થઈ છે“. વિશેષમાં ગોપગિરિ-વીરના મન્દિર સમ્બદ્ધ કેટલાક અન્ય, અને પ્રબન્ધોથી જૂના, સાહિત્યિક ઉલ્લેખો પણ મળે છે, જે હવે યથાક્રમ જોઈએ : (1) સંગમસૂરિના તીર્થમાલા-સ્તવન (૧રમી સદી પૂર્વાર્ધ)માં આમરાજ કારિત ગોપગિરિના જિન વીરનો જયકાર જગાવ્યો છે : યથા : यस्तिष्ठति वरवेश्मनि सार्द्धाभिद्रविणकोटिभिस्तिसभिः निर्मापितोऽऽमराज्ञा गोपगिरौ जयति जिनवीरः / / 10 // (2) હર્ષપુરીયગચ્છના શ્રીચન્દ્રસૂરિએ સ્વરચિત પ્રાકૃત મુનિસુવ્રત ચરિત્ર (સં૧૧૭ | ઈ. સ. ૧૧૩૭)માં એમના પ્રગુરુ અભયદેવસૂરિ સંબદ્ધ સુકૃત-વર્ણનામાં સૂરીશ્વરે ગોપગિરિ પહોંચી, રાજા ભુવનપાલને મળી, ખૂબ પ્રયત્ન બાદ, પૂર્વના રાજાએ જાહેર કરેલ શાસનથી બંધ થયેલ, ત્યાંના શિખર પર રહેલ ચરમ જિન (વર્ધમાન મહાવીર)ના દ્વારને શાસનાધિકારીઓના અવરોધથી મુકત કરાવેલું તેવી વાત નોંધી છે : યથા : गोपगिरसिहरसंठियचरमजिणाययणदारमवरुद्ध / पुनिवदिन्नसासणसंसाधणिओहिं चिरकालं // 10 // गंतूण तत्थ भणिऊण भुवणपालाभिहाणभूवालं / મફત્તે મુkતાં કારિયં ને 20In આ અભયદેવસૂરિ ઈસ્વીસનની ૧૧મી શતાબ્દીના ઉત્તરાર્ધમાં થઈ ગયા છે અને જયસિંહદેવ સિદ્ધરાજના શાસનના પ્રાય: પહેલા દશકા સુધી વિદ્યમાન હતા. ગ્વાલિયરના જે ‘ભુવનપાલ’ રાજાનો સન્દર્ભ આ ઘટનામાં આવે છે તે કચ્છપઘાતવંશીય રાજા ‘મહિપાલ' જણાય છે, જેનું શાસન ઈસ. ૧૯૩માં હોવાનું ત્યાં દુર્ગસ્થ અભિલેખથી જાણમાં છે. આથી સિદ્ધ થાય છે કે આમરાજ કારિત જિન વીરના પ્રાસાદથી મધ્યકાલીન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249313
Book TitleVadikavi Bappabhatta Suri
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherZ_Nirgrantha_1_022701.pdf and Nirgrantha_2_022702.pdf and Nirgrantha_3_022703.pdf
Publication Year1995
Total Pages11
LanguageGujarati
ClassificationArticle & Biography
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy