________________
સારા પજાખને પ્રવાસ
[ ૨૧૧
એ પ્રદેશમાં કળાની પેદાશ વિષે એટલું જ કહેવું બસ છે કે ખાસ મેાસમેામાં દાડમ, સંતરાં વગેરે માંધાં ગણાતાં જ ત્યાં તદ્દન સસ્તાં થ જાય છે અને એક મારા અનારસના પરિચિત, હમણાં દિગંબર જૈન હાઈસ્કૂલમાં ધાર્મિક શિક્ષકનું કામ કરતા પંડિતે મને કહ્યું, કે હું મારે દેશ દેલખંડ છેડી અહી રહ્યો છું તેનાં ખાસ કારણેામાં ફળની સુલભતા પણ એક છે, તેથી જ હું પુષ્ટ રહું છું.
જીવનમાં યોગવાસિષ્ઠ
ખડેથી ચાલી નવ માઈલ ઉપર બનેલી જવાનું હતું. સામાન ત્યાં જ વિશ્વસ્ત સ્થળે રાખી ચાલ્યા. તડકા, ભૂખ અને ચાલવાના શ્રમ એ અધાં એકત્ર મળ્યાં અને અમને પાણી માટે પ્રેર્યાં. લગભગ ત્રણ માઈલ ચાલ્યા હઈશું ત્યાં એક વિસામા આવ્યો. એક કૂવા, ઉપર દેરડીવાળી ડોલ, પાસે બગીચા, આંબાનાં ઝાડા અને એક કુટિરમાં ખાવા. પાણી પીધા પહેલાં સુગંધથી લલચાઈ ગભરામણું દૂર કરવા ગુલાબના ફૂલ તરફ ધ્યાન ગયું. ભાણુ–ન માગું એ વિકલ્પમાંથી પસાર થઈ છેવટે આવાજી પાસે એક માત્ર ફૂલ માગ્યુ. કાં તે ધમકી કે ચીપિયા ઉગામવાના ભય અને કાં તા એ ખાવાની સહજ પ્રસન્નતા ! એમણે કહ્યું: ‘ આખા બગીચા તમારા જ છે ને ? પ્રભુએ આ સૃષ્ટિ સૌના સુખ માટે સર્જી છે. ફૂલ શું, જે જોઈએ તે લે. ખરેખર, બાવાજીના આ હાર્દિક ઉદ્ગારથી જે થાક દૂર થયા તે ગુલાબના ફૂલોથી કે ખીજી વસ્તુઓથી કદી જ દૂર ન થાત. અર્અસ્તાનનું આતિથ્ય વખણાય છે, પણ અનુભવ્યું નથી. કાઠિયાવાડના અને ખીજા ભાગાના આતિથ્યના અનુભવ છે, પણ ખાવના એ ઔદાયે તે અમને જુના ભારતના આતિથ્ય અને સહજ સરલપણાની યાદ આપી. આવાજીની પાસે યોગવાસિષ્ઠનું પુસ્તક પાળ્યુ' હતું. પ્રેસના ભૂતને પ્રતાપે એવાં ધર્મ પુસ્તકાની પહેાંચ તે આજે ઘરેઘરે છે. એ પુસ્તકા ઉપર આઇવિકા કરતા હજારો આવા, બ્રાહ્મણ અને ખીજા ધર્મગુરુઓને જોયા છે, પણ જીવનમાં જ યોગવાસિષ્ઠ ઊતર્યું હોય, એવા બાવાએ તે બહુ વિરલ જ જોયા છે. તેમાંના આ ખાવા. આ ખાવાને જોઈ કાકા કાલેલકરના હિમાલયના પ્રવાસમાંના પ્રવ્રુત્તિમાર્ગે કર્મયોગી ખખડધજ ખાવાનું સ્મરણ થઈ આવ્યું. અમારે હજી છ માઈલ ચાલવાનું હતું. ઊડવા માંડ્યુ. પણ બાવાજીએ કહ્યું: ' રાત પડશે, અહી રહી જાઓ. દૂધ વગેરે અહીં પ્રસાદી મળશે.' અમે તે કૃતઘ્નતાપૂર્વક નમસ્કાર કરી બિનલી તરફ આગળ વધ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org