SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ અંજલિ [૧૫૧ અસામ્પ્રદાયિક માનસ ધરાવનાર પણ જૈન તત્વજ્ઞાન અને સાહિત્યને ઉત્કર્ષ ઈચછનાર પંજાબી ભાઈઓને પ્રેર્યા અને ૧૯૩૭થી શ્રી પાર્શ્વનાથ વિદ્યાશ્રમની સ્થાપના થઈ. આગળ જતાં જૈન કલ્ચરલ રિસર્ચ સોસાયટી સ્થપાઈ આમ જૈન-ચેર અધ્યાપનનું કામ પૂરું પાડે, પાર્શ્વનાથ વિદ્યાશ્રમ વિદ્યાર્થી ઓને રહેવા-ખાવા-પીવા આદિની સગવડ પૂરી પાડે, વિશિષ્ટ પુસ્તકાલયની સગવડ આપે અને કલ્ચરલ રિસર્ચ સેસાયટી સુનિષ્ણાત વિદ્વાનોના ચિંતનલેખનને મૂર્ત રૂપ આપે. આ રીતે આ ત્રણેય અંગે એવી રીતે સંકલિત થયાં છે કે તે એકબીજાના પૂરક અને પિષક બની માત્ર જેતપરંપરાની જ નહિ, પણ ભારતીય-અભારતીય વિદ્વાનોની નવયુગીન અપેક્ષાને અમુક અંશે સંતેપી રહ્યાં છે. હું અત્યારે ત્યાંની જે સંસ્કૃત, હિન્દી અને અંગ્રેજીમાં પુસ્તકે અને પત્રિકાઓ પ્રસિદ્ધ થયાં છે અને જે ઉચ્ચ કક્ષાના વિદ્યાવર્તુલમાં આદરપૂર્વક વંચાઈ રહ્યાં છે તેની યાદી આપવા નથી બેઠે. આટલું સ્મરણ આપવાને મારે ઉદ્દેશ એટલે જ છે કે શ્રી મોહનલાલ દેસાઈની અને ઝવેરીની અનિવાર્થ પ્રેરણા ન હોત અને કોન્ફરન્સ મારી અસાંપ્રદાયિક વિદ્યાતિનો ઉપયોગ કરવાની ઉદારતા પૂરી રીતે દાખવી ન હેત તેમ જ ચેરને અગેની જરૂરિયાતોની માગણુને સર્વાનુમતિએ વધાવી લીધી ન હોત તો હું કાશીમાં ગ જ ન હોત, ગયે હેત તો થિર થયો ન હોત અને ક્રમે ક્રમે ત્યાં જે વિકાસ થે છે તેની શક્યતા પણ ભાગ્યે જ આવી હત. : : આ ટૂંકું પણ આવશ્યક સ્મરણ એ સૂચવે છે કે કોન્ફરન્સ સાથે અને તે દ્વારા શ્રી મોહનભાઈ સાથે મારે છે અને કે સંબંધ રહ્યો છે. જે આટલું પણ સ્પષ્ટ થયું હોય તો હવે એ કહેવાની જરૂર નથી રહેતી કે કોન્ફરન્સ દ્વારા તૈયાર કરાવેલ સદગત મોહનભાઈના તૈલચિત્રને ખુલ્લું મૂકવાના ઔપચારિક વિધિમાં મારું શું સ્થાન છે. તૈલચિત્રના અનાવરણ પ્રસંગે તૈલચિત્રમાં સમાયેલ ગર્ભિત અર્થ જણાવો અને એ દ્વારા કોન્ફરન્સની પ્રવૃત્તિનું દિશાસૂચન કરવું એને હું મારી આવશ્યક ફરજ સમજું છું. એ ફરજમાંથી ચૂકે તો મારે અહીં આવવાને ખાસ અર્થ મારી દષ્ટિએ રહે જ નહિ. તૈલચિત્ર એ તે પ્રતીક છે. એ પ્રતીક વિદ્યોપાસના, સાહિત્યસેવા અને નિષ્ઠાનું છે. પ્રતીકની કેઈ સ્વતંત્ર અને નિરપેક્ષ પ્રતિક હતી જ નથી. તેથી પ્રતીક દ્વારા આપણે મૂળ વસ્તુને સમજવા અને તે દિશામાં ઘટતું કરવા પ્રવૃત્ત થઈએ તે જ સમારંભ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249293
Book TitleAnjali
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages11
LanguageGujarati
ClassificationArticle & Biography
File Size194 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy