________________
સામાં વૃદ્ધ પણ સાથી જીવાન
[ ૧૮ ]
શરીર ઘરડુ થવા લાગે ત્યારે પણ મન નબળુ ન પડે, વિચારા, નિયે. અને આમાં જરાય માળાશ ન આવે એવા વૃદ્ધ યુવા વિરલ હોય છે. શ્રી મણિભાઈ એવા એક વિરલ વૃદ્ધયુવક હતા એની પ્રતીતિ તેમના દરેક પરિચિતને હશે એમ હું સમજું છું. જુદાં જુદાં સ્થાનાના જૈન યુવકસંધના સભ્યાને હું જાણુ છું ત્યાં લગી એમ નિઃશંક કહી શકું છું કે એ સભ્યામાં શ્રી મણિભાઈ જેટલો વૃદ્ધ અને તેમના જેવા યુવક મે નથી જોયેા. યુવકસંધના તરુણુ સભ્યોમાં પણુ ફટાકટીને પ્રસ ંગે માસિક ઘડપણ જોયું છે, જ્યારે મણિભાઈમાં તેથી ઊલટું અનુભવ્યું છે. જેમ મુશ્કેલી વધારે તેમ તેમની જુવાની વધારે દીપી નીકળે, અમદાવાદ અને બીન્ન સ્થાનના જૈન યુવકસ ંઘે નામશેષ થયા અગર ઘરડા થયા ત્યારે પણ મુંબઈ ને! એ સંધ જીવાની સેવે છે એમાં શ્રી મણિભાઈના હાથ મુખ્ય છે એમ હું સમજુ છું. એમણે પોતાની કુનેહ, આદર્શની ઉચ્ચતા અને સહજ માયાળુતા વગેરે ગુણેથી અનેક તણાને યુવકસ'ધ પ્રત્યે આકર્ષ્યા, કેટલાકને હંમેશ માટે તેની સાથે સંકળાવા લલચાવ્યા એથી જ આપણે મુંબઈ જૈન યુવકસને અને તેની વિવિધપ્રવૃત્તિઓને નિત્યનૂતન રૂપમાં જોઈ એ છીએ.
કાશી કે આગ્રાથી ( બરાબર યાદ નથી ) હું વઢવાણુ કેમ્પ ગયેલા. કેટલાક મિત્રો મણિભાઈ ને ત્યાં જમનાર હતા. મતે પણ લઈ ગયા. હુ મણભાઈ ને જાણતા જ નહિ. પ્રથમ પરિચયે એટલી છાપ પડી કે આ મળવા જેવા છે. ત્યારબાદ તે! દસ-પદર વર્ષે ગયાં હશે. જ્યારે ૧૯૩૦ની હિલચાલ વખતે પશુસણુ વ્યાખ્યાનમાળાએ અમદાવાદમાં જાહેર રૂપ લીધું ત્યારે તેના ક્રાંઈક પડધા મુબઈમાં પડથા. એને ઝીલનાર જે બે વ્યક્તિ મુખ્ય હતી, તેમાં શ્રી મણિભાઈ પ્રધાન અને બીજા અમીચંદ ખીમચ ંદ,
મુંબઈમાં વ્યાખ્યાનમાળાની શરૂઆત થઈ અને મારે પરિચય શ્રી મણિભાઈ સાથે વધતા ચાઢ્યા. એમ તે કદાચ તેએ મહાવીર વિદ્યાલય આદિ સ્થળે મળ્યા હશે પણ મારું સ્પષ્ટ સ્મરણ વ્યાખ્યાનમાળાથી શરૂ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org