________________
પરિવારજકાનું માંચક લગ્ન
[ ૯૯૯ મઠમાં જવા લાગે. બન્ને જણ પિતાને રુચે તેમ સમાગમમાં આવવા લાગ્યા. પુનઃ પુનઃ મિલનના પરિણામે તે પરિવાજિકા આપન્નસત્વા–સગર્ભા થઈ. બન્નેએ મથુરામાં રહેવું ઠીક નથી એમ વિચારી ત્યાંથી દક્ષિણ તરફ પ્રવાસ આદર્યો. પ્રામાનુગ્રામ પગે ચાલતાં તબલાકા નામની નગરીમાં તેઓ પહોંચ્યા. નવ-દશ માસ પૂરા થતાં જ તે પરિવાજિકાએ પુત્રને જન્મ આપે. એક સભા અર્થાત્ સાર્વજનિક સ્થાનમાં એને જન્મ થવાથી માતાપિતાએ એનું સભિક નામ પાડયું. માતાપિતા બન્નેએ તેને કાળજીથી ઉછેર્યો અને ઉંમરલાયક થતાં તેને લિપિ, ગણિત અને બીજી અનેક પરિવાજ, શાસ્ત્રો શિખવાડ્યાં. તે સભિક છેવટે વાદી પ્રવાદી તરીકે પ્રસિદ્ધિમાં આવ્યો. હવે સલિકને શાસ્ત્રવિસ્તાર એક મહાન સમુદ્ર જે જણા ને પિતાની જાતને અબુદ્ધ-અજ્ઞાની લેખી કાઈ બુદ્ધ-જ્ઞાનીની શોધમાં નીકળી ગયો. અનેક દેશોમાં પરિભ્રમણ કરતે કરતે છેવટે તે જ્યાં તથાગત બુદ્ધ હતા ત્યાં વારાણસી પાસેના મૃગદાવ ઉપવનમાં આવી પહોંચ્યો. સભિક બુદ્ધ સાથે કુશળવાર્તા કરી એક બાજુ બેસી ગયો અને તેણે ભગવાન બુદ્ધને પ્રશ્ન પૂછવાના ઈરાદાથી કહ્યું કે, “હે ભદન્ત તથાગત ! નામે સભિક પરિવ્રાજક કેટલીક શંકાઓ નિવારવા તમારી પાસે આવ્યો છું અને જિજ્ઞાસાવશ પૂછું છું કે તમે મારા પ્રશ્નોને અનુક્રમે 5 ખુલાસે કરે.” તથાગતે કહ્યું કે, “તું બહુ દૂરથી જિજ્ઞાસાવશ આવે છે, તે ખુશીથી પ્રશ્નો કર. હું તેને યથાયોગ્ય ઉત્તર વાળીશ.”
સભિક ગાથાબદ્ધ શૈલીમાં પ્રથમ પ્રશ્ન કર્યો કે ભિક્ષુ કેને કહેવાય ? શ્રમણ અને દાત કોને કહેવાય ? બુદ્દે કહ્યું કે જેણે આત્મજય કર્યો હોય, જે કક્ષાથી પર હોય અને જેણે નિર્વાણ પ્રાપ્ત કરી પુનર્ભવને ક્ષય કર્યો હોય તે ભિક્ષુ. જે બધી બાબતમાં ઉપેક્ષાશીલ રહે, જે પ્રત્યેક ક્ષણ જગત રહે ને જે કોઈ પણ જાતની હિંસા કરવાથી મુક્ત રહે, જે નિર્દોષ હાય તે શ્રમણ જેણે ઇન્દ્રિયને વશ કરી હોય, જે આ લેક કે પરલોકમાં આસક્ત થયા વિના ભાવનાપૂર્વક કર્તવ્યોનું પાલન કરી સમયને સદુપયોગ કરતા હોય તે દાન્ત. આ જવાબ સાંભળી સભિક પરિવ્રાજક તથાગતને બહુ ભિનંદન આપી ફરી પ્રશ્નો કર્યા કે હે ભદન્ત ! બ્રાહ્મણ કેને કહે? સ્નાતક કોણ કહેવાય? અને નાગનો અર્થ શો ? બુદ્ધે કહ્યું કે જે બધાં પાપને બહાર કરી, નિર્મળ થઈ સમાધિસ્થ થયો હોય અને જે સંસારનું ખરું સ્વરૂપ સમજી સ્થિર મનથી. બ્રહ્મચર્યમાં વસેલ હોય તે બ્રાહ્મણ. જે અન્દર અને બહારનાં બધાં મળોનું પ્રક્ષાલન કરી દેવ તેમ જ મનુષ્યોએ કપેલી રસીમાઓ કે કાઓમાં ફરી નથી બંધાતે તે સ્નાતક. જે દુનિયામાં રહી કોઈ ગુને કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org