________________
વારસાનું વિતરણુ
[ sG•
ખૂણે ખૂણે ઔદ્ધ ભિક્ષુકાએ, શિલ્પીઓએ, વ્યાપારીઓએ અને રાજાએ વિવિધ રીતે વિસ્તારી,
વી રીતે, કેટલા પ્રમાણમાં તે કયાં કયાં સંસ્કૃતિ વિકસાવી તે અમર ખનાવી તેનું અદ્ન ચિત્ર છે.
અહીં' ફાહિયાન અને હ્યુએનસંગના સમયનું સંસ્કૃતિવિનિમયનું ચિત્ર છે, પણ્ ‘પૂરગ’માં કાહિયાન અને હ્યુએનસંગે કરેલ લાકસ્થિતિનું જેટલું વિસ્તૃત વન છે તેટલું અહીં નથી. તે હાત તો ભારે અસરકારક પુરવણી થાત.
બારમા પ્રકરણમાં અશ્વમેધપુનારયુગ'નું લગભગ સો વર્ષનું ચિત્ર. છે. મૌર્ય યુગ પછી જે પુરાહિતવસ્વના યુગ આવ્યો અને જેમાં બ્રાહ્મણ કે શ્રમણ બધા જ મુખ્યપણે પોતપોતાના ધર્મ પ્રસાર અને પ્રભાવ અર્થે રાજ્યાશ્રય તરફ વળ્યા અને છેવટે શ્રમણા ઉપર પુરાહિતાનું વર્ચસ્વ સ્થાપિત થયું તેનું ઐતિહાસિક ચિત્ર છે. બૌદ્ધસધની સિદ્ધિ અને નબળાઈ એક તેમ જ પુરાહિતવર્ગોની પણ સિદ્ધિઓ અને નબળાઈએ એ મધું વિશ્લેષ્ણુપૂર્વ ક લેખકે દર્શાવ્યું છે, અને શ્રમણુપ્રભાવ કરતાં પુરાહિતપ્રભાવ વધ્યા છતાં તેણે શ્રમણુપર’પરાના કયા કયા સદા અપનાવી લીધા અને નવા પૌરાણિક ધમ ને કુવા આકાર આપ્યા એ બધુ નિરૂપવામાં આવ્યુ છે.
શ્રમણ અને પુરાહિતવર્ગે પોતપાતાની ભાવના તેમ જ સંસ્કૃતિનાં વિવિધ અંગેાના પ્રસાર માટે જે હાડ શરૂ કરેલી તેનાં અનેકવિધ સુંદર અને સુંદરતમ પરિણામા આવ્યાં છે. એ પરિણામે વૈદક, ગણિત, ખગાળ, શિલ્પ, સ્થાપત્ય, કાવ્ય, સાહિત્ય, ભાષા, લિપિ આદિ અનેક રૂપમાં આવેલાં છે. તેનું લેખકે છેલ્લા પ્રકરણમાં પુરુષાર્થ પ્રેરક ચિત્ર રજૂ કર્યું છે અને છેવટે એ પુરુષાર્થાંમાં જે ઓટ આવી તે પણ સૂચવ્યું છે.
આ રીતે વેઃ પહેલાંના યુગથી માંડી મધ્યકાળ સુધીના કાળપટને સ્પર્શતાં સંસ્કૃતિચિત્રો લેખકે આધારપૂર્વક આલેખ્યાં છે.
અવનવી તેમ જ ચક-અરાચક ઘટના અને બનાવાના વર્ણન દ્વારા વિદ્યાર્થીઓના માનસને તૃપ્તિ આપવી એ જ ઇતિહાસના શિક્ષણનુ મુખ્ય પ્રત્યેાજન નથી; એવી તૃપ્તિ તે ચમત્કારી કિસ્સાએ દ્વારા અને બીજી ઘણી રીતે આપી શકાય; પણ ઋતિહાસશિક્ષણનું ખરું અને મૂળ પ્રયેાજન તો એ છે કે ભણનાર વિદ્યાર્થી એ દ્વારા પ્રત્યેક બનાવને ખુલાસે મેળવી શકે કે આ અને આવાં કારણાને લીધે જ એ બનાવ બનવા પામ્યા છે; તેની કાર્યાં. કારણભાવની સાંકળ સમજવાની શક્તિ સાચું ઇતિહાસશિક્ષણ એટલી હદ સુધી કેળવી શકે કે એવા વિદ્યાર્થી અમુક પરિસ્થિતિ જોઈ ને જ કહી શકે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org