________________
૬૯૬ ]
દર્શન અને ચિંતન પ્રકૃતિના બંધારણમાં જ હિંસાને સ્થાન છે એમ કહી પુરાણું હિંસા વિના જીવનને અશક્ય બતાવે છે, તે પણ હિંસા કે અહિંસાના અર્થને વિપર્યાસ કરવા બરાબર છે. અહિંસાને સિદ્ધ કરનાર સતિ પ્રકૃતિના બંધારણની વાત બરાબર જાણતા, તેથી જ તેમણે પ્રકૃતિના તંત્રમાં રહેનાર દરેકને માટે એટલું જ સૂચવ્યું છે કે માણસ પોતાના પ્રત્યે બીજાની પાસેથી જે અને જેવા વ્યવહારની આશા રાખે છે અને તે જ વ્યવહાર તેણે બીજા પ્રત્યે આચર. આવી આત્મૌપજ્યની સાચી ભાવનાને પ્રામાણિકપણે અમલમાં મૂક્વી અને ઉત્તરોત્તર વિકસાવવી તે જ વાસ્તવિક અહિંસા છે. સતએ અહિંસાના અનુભવેલ અને બતાવેલ આ સ્વરૂપમાં ઓછી કે વત્તા, નાના કે મોટા જીના નાશ ઉપર ઓછીવત્તી કે નાનીમોટી હિંસાની ગણતરીને સ્થાન નથી. અહિં. સાના ઉપર સચવેલા સ્વરૂપમાં બીજા પ્રાણી પ્રત્યે સમદષ્ટિ કેળવવી એ એક જ વસ્તુ મુખ્યપણે સમાયેલી છે. સમદષ્ટિ દ્વારા જ પ્રકૃતિના આસુરી બંધારણમાંથી દેવી સ્વરૂપ તરફ આગળ વધાય છે, એ ગીતામાં ઠેર ઠેર કહ્યું છે. એટલે પિતાના અને બીજાના વચ્ચે વિષમદષ્ટિમૂલક વ્યવહાર તે હિંસા અને સમદષ્ટિમૂલક વ્યવહાર તે અહિંસા, આ વસ્તુ સર્વમાન્ય છે. કઈ પણ પ્રાણીને દેખીતે નાશ ન થતું હોય ત્યારે પણ હિંસા સંભવે અને ઘણીવાર દેખીતે, નાશ થતું હોય છતાં તેમાં હિંસા ન પણ હોય. આવી વસ્તુસ્થિતિ હોવા છતાં માત્ર પ્રાણવધકે જીવનાશને જ હિંસા માની જીવન જીવવામાં અહિં. સાની અશક્યતા બતાવવી એ તે દેવી પ્રકૃતિને અગર તે તરફ પ્રયાણ કરવાનો ઇન્કાર કરવા બરાબર છે..
બીજા મુદ્દાના સંબંધમાં આધ્યાત્મિક સત્ય તરીકે અહિંસાનું જે મૂલ્યાંકન પુરાણએ કર્યું છે તે સાચું છે. તેઓ કહે છે કે, આધ્યાત્મિક ઉન્નતિને માટે અહિંસાનું આચરણ કરનાર માણસ એક એવી ચેતનાવસ્થાને પહોંચવા માગે છે, જેમાં સર્વ પ્રકારનાં પ્રેરક અને ઉતેજક કારણેની વચ્ચે પણ પિતે શાંત અને અહિંસામય રહી શકે. એની દષ્ટિએ અંતરની અહિંસાવાળી સ્થિતિ જાળવવી એ જ મુખ્ય ધ્યેય છે. અંતરની અહિંસામય સ્થિતિને જરા પણ ભંગ ન થાય એ એને મન અતિ આવશ્યક છે. અહિંસાના પાલનથી કઈ બાહ્ય પરિણામે આવે છે કે નહિ એ બાબત એને મન ગૌણ હોય છે. આધ્યાત્મિક સત્ય લેખે ગાંધીજીમાં અહિંસા સિદ્ધ થઈ હતી કે નહિ તેની સાબિતી અનેક પ્રસંગે મળી ચૂકી છે. અને તેમના ગમે તેવા વિરેધીએ પણ એ વાત સ્વીકારી છે કે ગાંધીજી પ્રબલમાં પ્રબલ ઉત્તેજક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org