SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ ++૪ ] દન અને ચૈતન લોકેને આકષી કે જીતી શકત નહિ. મધ્યમમાગ યુદ્ધને સૂઝયો એ જ સૂચવે છે કે તેમનુ મન કાઈ પણ એકાંગી પૂર્વગ્રહથી કેવું મુક્ત હતું ! નજરે તરી આવે એવી મુદ્દની મહત્ત્વની એક વિશેષતા એ છે કે તેઓ પોતાની સૂક્ષ્મ ને નિર્ભય પ્રતિભાથી કેટલાંક તત્ત્વોનાં સ્વરૂપોનું તલસ્પર્શી આકલન કરી શકયા અને જ્યારે જિજ્ઞાસુ તેમ જ સાધક જગત સમક્ષ જો કાઈ તે વિશે તેટલી હિંમતથી ન કહેતા ત્યારે મુદ્દે પાતાનું એ આકલન સિંહની નિર્ભય ગર્જનાથી, કાઈ રાજી થાય કે નારાજ એની પરવા કર્યાં વિના, પ્રગટ કર્યું. તે વખતના અનેક આધ્યાત્મિક આચાર્યોં યા તી કરી વિશ્વના મૂળમાં કયું તત્ત્વ છે અને તે કેવુ છે એનુ કથન, જાણે પ્રત્યક્ષ જોયુ હોય તે રીતે, કરતા, અને નિર્વાણુ યા મેાક્ષના સ્થાન તેમજ તેની સ્થિતિ વિશે પણ ચોક્કસ નજરે નિહાખ્યું હોય તેવુ વર્ણન કરતા; ત્યારે મુદ્દે, કદી પણ વાદવિવાદ શમે નહિ એવી ગૂઢ અને અગમ્ય બાબતો વિશે કહી દીધુ કે હુ એવા પ્રશ્નોનું વ્યાકરણ કરતા નથી, એનાં ચૂંથણાં ચૂંથતા નથી. હું એવા જ પ્રશ્નોની છણાવટ લોકા સમક્ષ કરું' છુ' કે જે લેકાના અનુભવમાં આવી શકે તેવા હાય અને જે વૈયક્તિક તેમજ સામાજિક જીવનની શુદ્ધિ તેમ જ શાંતિમાં નિવિવાદપણે ઉપયોગી થઈ શકે તેવા હોય. દેશકાળની સીમામાં બુદ્ધ થયેલ માણસ પેાતાની પ્રતિભા કે સૂક્ષ્મ બુદ્ધિને ખલે દેશકાળથી પર એવા પ્રશ્નોની યથાશક્તિ ચર્ચા કરતા આવ્યે છે, પણ એવી ચર્ચાઓ અને વાદવિવાદોને પરિણામે કાઈ અંતિમ સમાન્ય નિય આવ્યો નથી. એ જોઇ વાદવિવાદના અખાડામાંથી સાધકાને દૂર રાખવા અને તાર્કિક વિલાસમાં ખરચાતી શક્તિ અચાવવા મુદ્દે તેમની સમક્ષ એવી જ વાત કહી, જે સમાન્ય હેાય અને જેના વિના માનવતાના ઉત્કર્ષ સાધી શકાય તેમ પણ ન હેય. બુદ્ધના એ ઉપદેશ એટલે આય અષ્ટાંગિક માર્ગ તેમ જ બ્રહ્મવિહારની ભાવનાને ઉપદેશ. ટૂંકમાં કહેવુ હોય તે વૈર–પ્રતિવરના સ્થાનમાં પ્રેમતી વૃદ્ધિ અને પુષ્ટિના ઉપદેશ. બુદ્ધુની છેલ્લી અને સર્વોકર્ષીક વિશેષતા એમની અગૂઢ વાણી તેમ જ હૃદયસોંસરાં ઊતરી જાય એવાં વ્યવહારુ દૃષ્ટાંતા અને ઉપમાઓ મારફત વક્તવ્યની સ્પષ્ટતા એ છે. દુનિયાના વાડ્મયમાં મુહૂની દૃષ્ટાંત અને ઉપમારૌલીને ોટા ધરાવે એવા નમૂના અહુ વિરલ છે. એને જ લીધે મુદ્દા પાલિભાષામાં અપાયેલ ઉપદેશ દુનિયાની સુપ્રસિદ્ધ બધી ભાષાઓમાં અનુવાદિત થયા છે ને રસપૂર્વક વંચાય છે. એની સચાટતા, તેમ જ પ્રત્યક્ષવનમાં જ લાભ અનુભવો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249229
Book TitleTathagatni Vishishtatano Marm
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages14
LanguageGujarati
ClassificationArticle & Philosophy
File Size271 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy