SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીર અને જમાલિના મતભેદનું રહસ્ય [ રહ૫ ભગવાનના આ કથનને સાર એ છે કે દરેક માણસ આરંભેલ પ્રયત્નને વચ્ચેથી ન છોડે; કારણ કે, દેખી શકાય તેવું ધારેલ સ્થૂળ ફળ તે લાંબા પ્રયત્નને અંતે જ પ્રાપ્ત થાય છે, પણ પ્રયત્ન ચાલતું હોય ત્યારેય એટલે જેટલે અંશે પ્રયત્ન સિદ્ધ થયે હોય તેટલે તેટલે અંશે ફળની પ્રાપ્તિ પણ થયેલી છે. આ માત્ર આશાવાદ નથી, પણ ઊંડું અને ખરું સત્ય છે. આ સત્ય ધ્યાનમાં ન હોય તે પરમાર્થ કે વ્યવહારમાં કયાંય પ્રયત્ન સ્થિર ચાલી ન શકે. તેથી ભગવાને નિશ્ચય અને અને વ્યવહાર અને દૃષ્ટિએ ધ્યાનમાં રાખવાને અનેકાન્ત ઉપદેશ આપે, અને જમાલિના મતને વિરોધ કર્યો. દાન અને તે દ્વારા સિદ્ધાન્તનું સ્પષ્ટીકરણ ભગવાનને સિદ્ધાન્ત “મળે ને છે. જે કામ કરવામાં આવતું હય, જે હજી ચાલુ હોય, જેનું છેવટનું ફળ ન આવ્યું હોય, અર્થાત જે પૂર્ણ ન થયું હોય તેને પણ થયું કહી શકાય, તેને પણ સફળ લેખી શકાય. આ “હેમાળે હે'ને ભાવે છે. એ સિદ્ધાન્ત પ્રયત્ન અને ફળ વચ્ચે ભેદ નથી રવીકારતે, તેથી એ સિદ્ધાન્ત પ્રમાણે કોઈ પણ પ્રયત્નના આરંભના પ્રથમ ક્ષણથી તે પ્રયત્નના સમાપ્તિના છેલ્લા ક્ષણ સુધીની અખિલ પ્રયત્નધારા એ જ ફળ છે; અને નહિ કેપ્રયત્નને અને તેનાથી નિષ્પન્ન થતું માત્ર જુદું જ ફળ. પણું જમાલિનો વાદ એથી જુદો હતો. તે કહે કે મને જ નહિ, પણું છે કે, એટલે કે જે કામ ચાલુ હોય તેને કરાયું કે સફળ ન જ કહી શકાય, પણ જ્યારે તે કામ સમાપ્ત થાય, તેનું છેવટનું ફળ આવે ત્યારે જ અને તે જ તે કામ કરાયું અર્થાત્ સફળ થયું કહી શકાય. આ વાદ પ્રયત્ન અનેક ળને ભેદ સ્વીકારે છે. તેથી એ મુજબ કોઈ પણ કામના પ્રારંભથી તેની સમાપ્તિ સુધીને જે પ્રયત્ન એ સાધન છે, અને તેને અને નિષ્પન્ન થનારું તેનું છેવટનું ફળ એ તે સાધનથી તદ્દન જુદું છે. ભગવાનને જમાલિને વાદ કબૂલ છે, પણ તે એક જ દષ્ટિએ, તે દષ્ટિ એટલે વ્યવહાર. જ્યારે જમાલિને માત્ર વ્યવહારદષ્ટિજ કબૂલ છે, અને ભગવાનની બીજી નિશ્રયદષ્ટિ કબૂલ નથી. એટલે બન્ને વચ્ચે એકાન્ત-અનેકાન્તનું અંતર છે. આ અન્તર ઇવનમાં ઊતરે તે પરિણામ શું આવે તે એક દષ્ટાથી તપાસીએ. કઈ બે જણે ફળ પેદા કરવાની ઈચ્છાથી જુદા જુદા આંબાના વૃક્ષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249189
Book TitleMahavir ane Jamali na Matbhednu Rahasya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages9
LanguageGujarati
ClassificationArticle & Philosophy
File Size67 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy