SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તાખી અને સત્યબળ ૧૧૩ દ્વારા બીજા નબળા ઉપર પોતાનો સિક્કો જમાવવા ઇચ્છે છે. નબળા ગણાત હોય તો તે પણ પોતાથી વધારે નબળા ઉપર સત્તા જમાવવા ઇચ્છે છે. આ સિદ્ધાંત જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં અને પ્રત્યેક સમાજમાં કે દેશમાં સામાન્ય રીતે કામ કરતા દેખાય છે. તેથી જ ઊંચનીચના ભેદ, ગરીબ-તવગરના ભેદ, અભણ-ભણેલના ભેદ જેવા ભેદે એક વતે કચરી નાખે છે તે તે બીજા વર્ગોને કાંઈક રાહત આપતા દેખાય છે. આ એક ચાલી આવતી લાંબા કાળની વિષમતા છે, તે તેના ફેંકેલ મુશ્કેલ લાગે છે. આવી વિષમતા ગમે તેટલી જૂની પુરાણી હાય તોય તે નાબૂદ કરી શકાય અગર ઓછી કરી શકાય કુ નહિ એ પ્રશ્ન છે. એને ઉત્તર સત્યઅળમાંથી મળે છે. સત્તા ને સત્ય અને સત્ હસ્તી–સાથે સંબંધ ધરાવે છે, પણ અનેેમાં ફર હાય તો તે એ છે કે સત્તા પોતાથી નખળા ઉપર કાબૂ જમાવવાની વૃત્તિરૂપે આવિર્ભાવ પામે છે, ત્યારે સત્ય પોતાથી નબળા કે સખળા અને પ્રત્યે સભાન રહેવાની વૃત્તિરૂપે આવિર્ભાવ પામે છે. જ્યારે નબળા પ્રત્યે સમાન રહેવાની વૃત્તિ પ્રગટે છે ત્યારે અને અએટલે જ કે નબળાને પોતાની ઊંચી સપાટી ઉપર આણી પોતાની સમકક્ષ અનાવવા સત્ય માણસને પ્રેરે છે. જ્યારે સબળા પ્રત્યે સમાન રહેવા રૂપે સત્યની વૃત્તિ આવિર્ભાવ પામે છે ત્યારે તેના અર્થ એટલો જ કે એવી વૃત્તિવાળા માણસ કાઈ પણ સબળને અણુધટતી રીતે વશ થતા નથી; ઊલટું તેને મેગ્ય રીતે સૌની સાથે સ્થાન અપાવે છે. સત્તાબળ અમલદારને તુમાખો શીખવે છે, ધનિકને અતડા અને ગર્વિષ્ઠ બનાવે છે, પડિતને મિથ્યાભિમાન અને બકવાદી પણ બનાવે છે; જ્યારે સત્યબળ અમલ, ધન, અને પાંડિત્યના આશ્રયથી એવા કાઈ દોષ પોષતું નથી; ઊલટું એ અધિકાર, ધન, સૌન્દર્ય, વિદ્યા કે પાંડિત્ય જેવાં સાધનો દ્વારા માણસને સૌના લાભમાં કામ કરતા, અને તેથી ખરા અર્થાંમાં સ્વતંત્ર બનાવે છે. સત્તાબળ ધરાવનાર દેખીતી રીતે સ્વતંત્ર ગણાવા કે મનાવા છતાં ખરી રીતે અને અંતરથી પરતંત્ર જ હાય છે. એના મનમાં હંમેશા ખીજા તરફના ભય રહે જ છે. જ્યારે સત્ય બળ ધરાવનારને કદી કાઈથી ડરવાપણું નથી; એટલે તેને અંતરાત્મા તન મુક્ત રહે છે. આપણે આપણા જ જીવતરમાં આ વસ્તુ ગાંધીજીમાં જોઈ હતી અને અત્યારે વિનોબાજી જેવા સત્યનિષ્ડમાં જોઈ પણ શકીએ છીએ. ભારતે પ્રાપ્ત કરેલ સ્વતંત્રતા એ તે ખરી સ્વતંત્રતા સિદ્ધ કરવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249175
Book TitleSattabal ane Satyabal
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages3
LanguageGujarati
ClassificationArticle & Society
File Size57 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy