SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ ધમપ્રવાહો અને આનુષંગિક સમસ્યાએ [ ૨૯ થાય છે. કાઈ પણ ધર્મ પથ આવાં એક યા બીજા પ્રકારનાં ભયસ્થાનોથી. એક જ મુક્ત હોતા નથી. તેથી જ આ લોક અને પરલોકને ભેદ મટાડવાની, પ્રેય અને શ્રેય વચ્ચે અભેદ સાવધાની, તેમ જ આવતા બધી જાતના વિશેપાને ટાળી માનવજીવનમાં સામજસ્ય સ્થાપવાની ધર્મની મૌલિક શક્તિ કુંઠિત અને છે. ધર્મનાં ઉત્થાન અને પતનના તિહાસનુ આ જ હાર્દ છે, ધર્મનદીને કિનારે અનેક તીર્થો ઊભાં થાય છે, અનેક પંથના ઘાટો અધાય છે. એ ઘાટા પર નભનાર વાડાજ્ની સર્વ ૫ડા કે પુરાહિતા પોતપોતાના તીર્થ અને ધાટની મહત્તા કે શ્રેષ્ઠતા ગાઈને જ સતેષ નથી પામતા, પશુ માટે ભાગે તેઓ બીજા તીર્થો અને બીજા પંચરૂપ ધાટાની ઊણપે ખતાવવામાં વધારે રસ લે છે. તેઓ ધર્મની પ્રતિષ્ટા સાથે કેટલાંક તત્ત્વોને સેળભેળ કરી નાખે છે. તેમાંનુ એક તત્ત્વ તો એ કે અમારા ધર્મ એ મૂલતઃ શુદ્ધ છે, અને તેમાં જે કાઈ અશુદ્ધિ હાય તો તે પરપથની આગ તુક અસર છે. બીજું તત્ત્વ એ કે બીજા ધર્મપથામાં કઈ સારુ' હાય તેને પોતાના ધર્મની અસર તરીકે બતાવવું. ત્રીજું તત્ત્વ એ કે સનાતનતા સાથે જ શુદ્ધિ અને પ્રતિષ્ઠાના સબંધ વિચારવા. આ અને આના જેવાં બીજા વિકારી તત્ત્વોથી લેાકાનુ ધાર્મિક જીવન પણ ક્ષુબ્ધ બને છે, દરેક પથ પાતાની સનાતનતા ને પોતાની શુદ્ધિ સ્થાપવા મથે છે, અને બીજા ધર્મપામાં રહેલ ઉચ્ચ તત્ત્વા સામે આંખ મીંચી દે છે. ધાર્મિક જીવનના આ સડાને દૂર કરવાનાં અનેક માર્ગો પૈકી એક મા.અને સુપરિણામદાયી માર્ગએ પણ છે કે દરેક ધજિજ્ઞાસુને ધર્મનું જ્ઞાન ઐતિહાસિક તેમ જ તુલનાત્મક દૃષ્ટિએ આપવું, જેથી ધનું શિક્ષણ માત્ર એકપથગામી મટી સંપથગામી બને, અને સ્વ કે પર દરેક પથના સ્થૂલ તેમ જ સૂક્ષ્મ વનના ઇતિહાસનું પણ ભાન થાય. આ જાતના શિક્ષણુથી પેાતાના પંથની પેઠે ખીજા પંથમાં પણ રહેલ સુતત્ત્વને સહેલાઇથી જાણી શકાય છે અને પરપથની જેમ સ્વપથમાં રહેલી ત્રુટિઓનું પણ વાસ્તવિક ભાન થાય છે. તેની સાથેસાથે પ્રાચીનતામાં જ મહત્તા અને શુદ્ધિના અંધાયેલા ભ્રમ પણ સહેલાઈથી ટળે છે. આ દૃષ્ટિએ ધર્મના ઐતિહાસિક અને તુલનાત્મક શિક્ષણનું બહુ ઊંચું સ્થાન છે. ધનું વ્યાપક અને તટસ્થ દૃષ્ટિએ ઐતિહાસિક ને તુલનાત્મક શિક્ષણ આપવું હોય તો તે માટે પૂર્ણ યોગ્ય સ્થાન તો સાર્વજનિક કોલેજો ને યુનિ વર્સિટીઓ જ છે. એમ તા દરેક દેશમાં અનેક ધમ ધામા છે, અને જ્યાં જ્યાં ધર્માંધાભ હોય ત્યાં ત્યાં નાનાંમોટાં વિદ્યાધામ હવાનાં જ. પણ આપણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249157
Book TitleDharm Pravaho ane Anushangik Samasyao
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages9
LanguageGujarati
ClassificationArticle & Religion
File Size171 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy