SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણભગવત-૨ ૨૮૫ મનોમન પિતાનું જીવન પૂ. ગુરુદેવશ્રીને ચરણે ધરી દેવાને નિર્ણય કર્યો. પૂ. આત્મારામજી મહારાજે પણ વિશાળ દષ્ટિ, માનવતાભર્યું હૃદય, સગુણપ્રાપ્તિ પ્રત્યેને સતત અભિગમ, અગાધ શાસ્ત્રજ્ઞાન, જિનશાસનની અને જૈનસાહિત્યની સેવા કરવાની ધગશ અને સમર્થ શિષ્યવૃંદ દ્વારા લગભગ ત્રણ દાયકા સુધી જેનધમી એમાં અપૂર્વ ગૃતિનાં પૂર આયાં. એવા પૂ. આત્મારામજી મહારાજે પ્રવચન પૂરું કરીને જોયું તે એક બાળક સૌના ગયા પછી પણ એકલે બેસી રહ્યો હતો. આચાર્યશ્રીએ તેને પૂછ્યું, “હે વત્સતું કેમ હજી અહીં બેઠે છે? તારે શું કામ છે? શું તારે ધનાદિની જરૂર છે?” કિશેરે હકારમાં જવાબ આપે. આચાર્યશ્રીએ પૂછ્યું, “કેટલું ધન જોઈએ? ” બાળકે કહ્યું, “ઘણું. કોઈ દિવસ ન ખૂટે એવું. આપની પાસે છે તેવું અને તેટલું.' આ સાંભળીને આચાર્યશ્રી અતિ પ્રસન્ન થઈ ગયા. તેઓશ્રીની કલ્પના હતી કે બાળક તેજસ્વી છે, તે સાચી પડી. કિશેરે ગુરુદેવ પાસે દીક્ષાની માંગણી કરી. તે આશા યથાસમયે પરિપૂર્ણ થશે એવું આશ્વાસન આપી ગુરુદેવ વિદાય થયા. સં. ૧૯૪૩માં પૂ. શ્રી આત્મારામજી મહારાજ રાધનપુરમાં ચાતુર્માસ સ્થિત હતા, ત્યારે છગનલાલ કુટુંબીજનોની સંમતિ મળતાં રાધનપુર આવ્યા. વૈશાખ સુદ ૧૩ને શુભ દિને મુનિશ્રી હર્ષવિજયજી મહારાજના હાથે દીક્ષા આપવામાં આવી. દાદાગુરુએ નામ આપ્યું મુનિશ્રી વલ્લભ વિજયજી. સંયમપંથના પ્રવાસીના લલાટે ખરેખર વલ્લભ બનવાનું જ લખાયું હતું. - સં. ૧૯૪૩માં રાધનપુર, સં. ૧૯૪૪માં મહેસાણા, સં. ૧૯૪૫માં પાલીમાં – એમ પહેલા ત્રણ ચાતુર્માસમાં મુનિજીવનમાં સંચમની સાધના-આરાધના અને જપ-તપ વગેરે વિવિધ ક્રિયાઓમાં મુનિશ્રી વલ્લભ વિજયજી સ્થિર થતા ગયા. બીજી બાજુ “ભાઈજી મહારાજના માનભર્યા નામથી ઓળખાતા પિતાના ગુરુ પાસે ધીમે ધીમે વિવિધ શાનું અવગાહન પણ કરતા ગયા. આ સમય દરમિયાન મુનિશ્રીને બે બાજુ ખેંચાણ રહેતું હતું. દાદાગુરુ શ્રી આત્મારામજી મહારાજ તે પહેલા પ્રવચનથી જ હદયસિંહાસને બિરાજમાન હતા, પણ સાથે સાથે દીક્ષાગુરુ શ્રી હર્ષ વિજ્યજી મહારાજની તબિયત નાજુક રહેતી હોવાથી તેઓશ્રીની સેવામાં રહેવાની અગત્યતા હતી. જ્ઞાનવૃદ્ધિ મોડી થશે તે ચાલશે, પણ ગુરુદેવની સેવામાં કઈ ખામી ન આવવી જોઈએ, એમ માનનાર વલ્લભવિજય ખડે પગે ગુરુસેવામાં રહી પિતાના આંતરમળને સાફ કરતા રહ્યા. સં. ૧૯૪૬માં ગુરુજી સાથે મારું દિલ્હીમાં કર્યું. દરમિયાન દાદાગુરુજીનું ચોમાસું અંબાલામાં હતું. સમસ્ત સંઘ અને મુનિઓએ શ્રી હર્ષવિજયજી મહારાજની સેવામાં કચાશ રાખી ન હતી, તે પણ બિમારી અસાધ્ય બની અને સં. ૧૯૪૬ના ચૈત્ર સુદ ૧૦ના દિવસે કાળધર્મ પામ્યા. મુનિ શ્રી વલ્લભવિજયજીના ઉદાસ મનને દાદાગુરુદેવ સિવાય ક્યાંય સાંત્વન મળે તેમ ન હતું. પિતાના બે ગુરુબંધુઓ સાથે દિલ્હી સંઘની વિદાય લઈ પ્રયાણ કર્યું. દાદાગુરુનાં ચરણોમાં અક્ષથી દુઃખ વહાવ્યું. પૂ. દાદાગુરુએ સાંત્વના આપી “વલ્લભ ને હુંફથી ભરી દીધે. Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249131
Book TitleVijay Vallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherZ_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Publication Year1992
Total Pages6
LanguageGujarati
ClassificationArticle & Story
File Size196 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy