SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ બ્રહ્મચર્ય ની નિષ્ઠા અને તપેાધની તેજસ્વિતા ધારણ કરનારા નવયુગ – પ્રવ કે, શાસ્ત્રવિશારદ પૂ. આચાર્યશ્રી વિજયધમ સૂરીશ્વરજી ( કાશીવાળા ) મહારાજ પ્રાકૃતિક ક્ષેાથી નયનરમ્ય મહુવા નગરીમાં ક્યામવચ્છ ' જેવા પવિત્ર ખાનદાન કુળમાં રામચંદ્ર શેઠ અને કમળા શેઠાણી ઉદાર, સરળ, શીયળસપન્ન અને જૈનધર્મના રંગે રંગાયેલાં રહેતાં. સત્યરિત કુટુ એમાં ચારિત્રશીલ સતાના જન્મે છે અને સ્વ—પરના કલ્યાણમય કાર્યોં કરીને જગતને ઊધ્વગામી બનાવે છે. આવા એક પુણ્યશાળી દંપતીને ત્યાં પૂજ્યશ્રીના જન્મ થયા હતા. જન્મના મૂળચંદ હતું. આળપણથી ધર્મ પ્રત્યે વિશેષ રુચિ ધરાવતા મૂળચંદને શાળાના શિક્ષણમાં મહુ રસ પડયો નહી, એટલે પિતાએ દુકાને બેસાડી દીધા. વેપાર-ધંધા કરતાં કતાં મૂળચંદ સટ્ટાને રવાડે ચડી ગયા. એમાં એક વાર મોટી ખેાટ ખાધી. પિતાએ ઠપકા આપ્યા. આ આઘાતથી મૂળચંદની વૈરાગ્યવૃત્તિ લગી ઊઠી. તે ભાવનગર આવ્યા. ત્યાં પૂ. શ્રી વૃદ્ધિવિજયજી મહારાજના વ્યાખ્યાન શ્રવણુના અવસર પ્રાપ્ત થયેા. મૂળદ મુનિવશ્રીની વાણીથી અત્યંત પ્રભાવિત થયા. તેણે દીક્ષા લેવાને અટલ નિર્ધાર કર્યાં. પૂ. શ્રી વૃદ્ધિવિજયજી મહારાજ પાસે દીક્ષા લઈ મુનિ ધ`વિજયજી અન્યા. શાસનપ્રભાવક 6 Jain Education International 2010-04 સસારી જીવનની તડકી-છાંયડીમાંથી મુક્ત થયેલાં પૂજ્યશ્રીએ યમજીવન સ્વીકારીને નિશ્ચય કર્યો કે ગુરુદેવનાં ચરણેાની સેવા કર્યાં વિના સૂવું નહીં; પાનપાન અને દીક્ષાપાલનમાં નિરૂદ્યમી અને નિરૂત્સાહી થવુ નહી; અસંયમનાં સ્થાને ઉપસ્થિત કરવાં નહી; ટૂંકી દૃષ્ટિને સ્થાને જૈનશાસનને વિશાળ પરિપ્રેક્ષ્યમાં જોવાની પ્રવૃત્તિઓ ચલાવવી. આવા નિષ્ઠાવાન નિહ્ યાથી તેએ બહુ જ ટૂંકા ગાળામાં ન્યાય, વ્યાકરણ, સાહિત્ય, કોષ ઉપરાંત આગમના અંગ અભ્યાસી બની રહ્યા. સમાજમાં દીર્ઘદૃષ્ટિ ધરાવતા દિગ્ગજ પંડિતે તૈયાર કરવાને ઈરાદે, અત્યંત પરિશ્રમ વેઠીને, કેટલાક વિદ્યાથીઆ અને મુનિરાજોને સાથે લઈ જઈ ને બનારસ ( કાશી )માં પુણ્યપવિત્ર ‘ શ્રી યશેાવિજયજી મહારાજ 'ના નામે સંસ્કૃત પાઠશાળા સ્થાપી. આ પાઠશાળામાં સર્વ પ્રકારનો વ્યવસ્થિત અભ્યાસ આર ંભાયા. તદુપરાંત, પૂજ્યશ્રીના અથાક પ્રયત્નોથી વ્યાકરણ, કાવ્ય, ન્યાય, કેષ આદિ ગ્રંથે! અને વિશેષાવશ્યક જેવા આગમિક ગ્રંથેનુ પ્રકાશન થયું. આ ગ્રંથે વિના મૂલ્યે ભારતમાં અને પાશ્ચાત્ય દેશમાં મેકવવામાં આવ્યા. આમ, તેએશ્રીના વરદ્ હસ્તે જૈનશાસનની અભૂતપૂર્વ સેવા થઈ, એટલું જ નહિ; પણ પૂજ્યશ્રીએ પ્રગટ કરેલાં આ ગ્રંથોનાં વિવરણાએ પણ સાહિત્યક્ષેત્રે અદ્ભુત પ્રભાવ પાથ. દા. ત. ન્યાયના ગ્રંથા શાંકરભાષ્યના ભક્તાએ જોયા ત્યારે ખબર પડી કે મહાવીરસ્વામીના સ્યાદ્વાદ સાયવાદાત્મક નથી, પણ નિર્ણયાત્મક સત્ય છે. પારસ્પરિક કલેશે અને મિથ્યા વાગ્યુદ્ધો સમાવવા માટે સથા સક્ષમ છે. તે જ પ્રમાણે, આગમિક પ્રથાને જોયા પછી પડિતાને ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયની મર્યાદાના ખ્યાલ આવ્યેા. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249102
Book TitleVijay Dharmsuri
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherZ_Shramana_Bhagwanto_Part_1_004596.pdf and Shramana_Bhagwanto_Part_2_004597.pdf
Publication Year1992
Total Pages2
LanguageGujarati
ClassificationArticle & Story
File Size80 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy