________________
શ્રમણભગવ તા
૨૪૧
મહામહોત્સવપૂર્વક પ્રવેશ કરાવ્યા. અહીં પાટણમાં એક દિવસ તેમને વાદીસિંહ નામના સાંખ્ય વિદ્વાન સાથે શાસ્ત્રાર્થ થયે.. વાદીસિ ંહ સામે વીરાચાર્ય ને વિજય થયે. સિદ્ધરાજે આ પ્રસંગે તેમને જયપત્ર આપ્યુ. પાટણની સભામાં દિગબરાચાય કમલકીતિ સાથે પણ વીરાચાર્યને સફળ શાસ્ત્રાર્થ થશે..
શ્રી વીરાચાર્ય ના જન્મ, દીક્ષા આદિ સંબધી સાલ, વાર આદિના ઉલ્લેખ મળતા નથી. તે પાટણનરેશ સિદ્ધરાજ જયસિંહની સભાના સન્માન્ય વિદ્વાન હતા. સિદ્ધરાજ જયસિંહના શાસનકાળ વિ. સ’. ૧૧૫૦ થી ૧૧૯૯ સુધી મનાય છે. એ આધારે શ્રી વીરાચાર્ય વિક્રમની બારમી શતાબ્દીના વિદ્વાન આચાર્ય સિદ્ધ થાય છે.
ખરતરગચ્છના મહાન ચૈાતિર્ધર, પરમ પ્રભાવી અને નામથી સુપ્રસિદ્ધ
દાદા'ના
આચાર્યશ્રી જિનદત્તસૂરિજી મહારાજ
શ્રી જિનદત્તસૂરિ ખરતરગચ્છ પરંપરાના મહાન જયોતિર્ધર પરમ પ્રભાવી આચાય હતા. ખરતરગચ્છમાં તેમનુ' નામ ઘણા જ આદરપૂર્વક લેવામાં આવે છે. તેમની પ્રસિદ્ધિ તરીકે છે. # દાદા શબ્દ મહાન પૂજ્યભાવના પ્રતીક છે.
,,
* દાદા
• ગુર્વાવલી 'ના આધારે શ્રી જિનદત્તસૂરિ શ્રી જિનવલ્લભસૂરિના પટ્ટધર હતા અને શ્રી જિનવલ્લભસૂરિ નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિના પટ્ટધર હતા. શ્રી જિનદત્તસૂરિના દીક્ષાગુરુ ઉપાધ્યાય ધદેવ અને શ્રી જિનવલ્લભસૂરિના દીક્ષાગુરુ ચૈત્યવાસી જિનેશ્વરસૂરિ હતા. શ્રી જિનવલ્લભસૂરિના દીક્ષાગુરુ ચૈત્યવાસી જિનેશ્વરસૂરિ હતા. શ્રી જિનવલ્લભસૂરિ શ્રી અભયદેવસૂરિ પાસે જિનાગમનું ઊંડું જ્ઞાન મેળવી, ચૈત્યવાસી પરંપરાના ત્યાગ કરી સુવિહિતમાગીઅન્યા હતા.
શ્રી જિનદત્તસૂરિના જન્મ વૈશ્યવંશ હુમ્મડ ગેત્રમાં વિ.સ. ૧૧૩૨ માં થયે. ધવલકપુર ( ધેાલકા ) નિવાસી શ્રેષ્ઠિ વાગિના તેએ પુત્ર હતા. તેમની માતાનુ નામ વાહુડદેવી હતું. બાલ્યકાળમાં જિનદત્તસૂરિને સહજ ધાર્મિક વાતાવરણ પ્રાપ્ત થયું હતુ. એક વાર ધેાલકામાં જિનેશ્વરસૂરિના શિષ્ય ઉપાધ્યાય ધર્માંદેવની આજ્ઞાનુવતિની સાધ્વીઓનુ ચાતુર્માંસ થયુ. તેની પાસે પુત્રને લઈ વાહડદેવી ધર્મકથા સાંભળવા માટે જતી. ધ કથા સાંભળવાથી બાળકના મનમાં વૈરાગ્યભાવ જાગૃત થયે. મુનિજીવન સ્વીકારવાની ઈચ્છા થઈ. બાળકના શરીર ઉપર શુભચિહ્ન તા હતાં જ, જે તેના સુંદર ભવિષ્યને જણાવતાં હતાં. સાધ્વીઓએ બાળકને ધ સ ંઘમાં અણુ કરવા વાહડદેવીને પ્રેરણા કરી. ધર્માનુાંગણી વાહડદેવી પણ આ કાર્ય માટે તૈયાર થતાં ઉપાધ્યાય ધદેવે બાળકને વિ. સં. ૧૧૪૧ માં દીક્ષા આપી. નવદીક્ષિત મુનિનુ નામ સોમચંદ્ર રાખવામાં આવ્યું. એ સમયે બાલમને સામચંદ્રની વય નવ વર્ષની હતી.
. ૩૧
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org